પાલઘર ઘટના પર CM ઉદ્ધવઃ આ સાંપ્રદાયિક મામલો નથી, અફવા ફેલાવનાર પર થશે કાર્યવાહી
સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને પાલઘર મોબ લિંચિંગ બાબતે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.
પાલઘર મોબ લિંચિંગ બાબતે રાજકારણ ગરમાતુ જોવા મળતા હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક્શનમાં આવી ગયા છે. આ કેસમાં અત્યાર સુધીમાં બે પોલિસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વળી, એડીજી સીઆઈડીને કેસની તપાસ સોંપવામાં આવી છે જે ટૂંક સમયમાં કેસનો વિસ્તૃત રિપોર્ટ મહારાષ્ટ્ર સરકારને આપશે. વળી, સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને આ બાબતે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.

પાલઘર મોબ લિંચિંગની ઘટના બાદ જારી એક વીડિયો સંદેશમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ કે તેમણે આ બાબતે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. ઘટનાની ગંભીરતાને જોતા ત્યાં હાજર બે પોલિસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેસની તપાસ માટે એડીજી સીઆઈડી ક્રાઈમ અતુલચંદ્ર કુલકર્ણીને જવાબાદારી સોંપવામાં આવી છે. વળી, અત્યાર સુધીમાં 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે જેમાં પાંચ મુખ્ય આરોપી પણ શામેલ છે. વળી, સીએમ ઉદ્ધવે સ્પષ્ટ કર્યુ કે આ ઘટના ધર્મ સાથે જોડાયેલી નથી. માટે અફવા ફેલાવનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
શું છે સમગ્ર કેસ
વાસ્તવમાં મહારાષ્ટ્રના પાલઘરમાં ગુરુવારે ગ્રામીણોએ ત્રણ લોકોને ચોર સમજીને મારી મારીને હત્યા કરી દીધી. મૃતકોની ઓળખ 35 વર્ષીય સુશીલગીરી મહારાજ, 70 વર્ષીય ચિંકણે મહારાજ કલ્પવૃક્ષગિરી અને 30 વર્ષીય નિલેશ તેલગડે તરીકે થઈ છે. નિલેશ સાધુઓનો ડ્રાઈવર હતો. આ ત્રણે લોકો મુંબઈથી સુરત કોઈની અંત્યેષ્ટિમાં શામેલ થવા જઈ રહ્યા હતા.પાલઘર જિલ્લાના એક ગામમાં 100થી વધુના ટોળુ આમના પર તૂટી પડ્યુ. ગ્રામીઓએ પોલિસની ગાડી પર પણ હુમલો કર્યો. જણાવવામાં આવી રહ્યુ છે કે આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી બાળકચોર ટોળકીની અફવા ફેલાઈ હતી. લોકોએ તેમને આ ટોળકીના સમજી લીધા અને હુમલો કરવાનુ શરૂ કરી દીધુ અને મારી મારીને હત્યા કરી દીધી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
