For Daily Alerts
મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં IED બ્લાસ્ટ, 3 વ્યક્તિઓના મોત
ઇમ્ફાલ, 21 ડિસેમ્બર : પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં પાટનગર ઇમ્ફાલ ખાતે રવિવારની શરુઆથ ધડાકાઓ સાથે થઈ. ઇમ્ફાલમાં સવાર-સવારમાં જ આઈઈડી બ્લાસ્ટ થયો અને તેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા, જ્યારે 4 વ્યક્તિઓને ઈજા પહોંચી.
બ્લાસ્ટની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી દેવામાં આવી છે. જોકે હજી સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. એટલુ જ નહીં, એ બાબતની પણ જાણ નથી થઈ શકી કે આ બ્લાસ્ટ પાછળનું કારણ શું હશે. નોંધનીય છે કે એક અઠવાડિયા પહેલા પણ અહીં એક બૉમ્બ બ્લાસ્ટ થયો હતો કે જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતું.
English summary
Three labourers were killed and four others seriously injured in a powerful IED blast in Imphal on Sunday.
Story first published: Sunday, December 21, 2014, 11:13 [IST]