અખિલેશ 'યુપી' અને મુલાયમ સિંહ 'દેશ' ચલાવેઃ તિવારી
લખનૌ, 2 ડિસેમ્બરઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ દત્ત તિવારીએ કહ્યું કે આખો દેશ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ તરફ જોઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે, અખિલેશ પ્રદેશ ચલાવે અને મુલાયમ સિંહ ભારત ચલાવશે.
લખનૌ પહેલા તિવારીએ મુખ્યમંત્રી અખિલેશ યાદવ તથા સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ સાથેની મુલાકાત બાદ સંવાદદાતાઓએ કહ્યું કે એફડીઆઇ અંગે મારી અંગત રાય છે કે તેનાથી ફાયદો થશે, પરંતુ એ માનવા માટે મુલાયમ સિંહને હું ફરજ નહીં પાડું.
તેમણે કહ્યું કે, એફડીઆઇ અંગે અલગ-અલગ પાર્ટીઓ, રાજ્યો અને વ્યક્તિઓની પરસ્પર અલગ રાય હોઇ શકે છે, પરંતુ તેમનું માનવું છે કે એફડીઆઇથી ફાયદો થશે.
તિવારીએ મુલાયમ સિંહ યાદવ અને મુખ્યમંત્રી અખિલેશ યાદવની મુલાકાતને શિષ્ટાચાર ભેટ ગણાવતા કહ્યું કે દરેક બાબત રાજકીય નથી હોતી.
શું તેઓ મુલાયમ સિંહને દેશની બાગડોર અપાવવામાં સહયોગ કરશે તો તેમણે કોઇ સ્પષ્ટ જવાબ નહીં આપતા કહ્યું કે જો મારા સહયોગથી થતું હોત તો હું કાલે જ કરી દઉં.
તિવારીએ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પોતાના 'ભત્રીજા જેવા' ગણાવ્યા અને કહ્યું કે અખિલેશ યુવા છે અને તેમના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ વિકાસની રાહ પર વધશે, હવે અમે જલ્દી-જલ્દી ઉત્તર પ્રદેશ આવીશું અને વાતાવરણ પણ સારું છે અને રાજકીય વાતાવરણ પણ સારું છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
