Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉત્તર પ્રદેશમાં પ્રવાસનને વેગ આપવા નવી ટુરિઝમ સર્કિટ તૈયાર કરાશે

ઉત્તર પ્રદેશને પ્રવાસન ક્ષેત્રે આગળ વધારવા માટે યોગી આદિત્યનાથ સરકાર સતત પ્રયાસો કરી રહી છે. હવે યોગી સરકારે રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે નવી ટુરિઝમ સર્કિટ વિકસાવવાની યોજના બનાવી છે.

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવા સતત પ્રયાસો કરી રહી છે અને હેરિટેજના સન્માન અને પર્યટનના વિકાસને આગળ ધપાવી રહી છે ત્યારે ઘણી સર્કિટ વિકસાવવામાં આવશે, જે આપણા દેશની ધરોહર છે.

Yogi Adityanath

ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં હેરિટેજ સ્થળોને પર્યટનનું કેન્દ્ર બનાવવા માટે સર્કિટ વિકસાવવાનું આયોજન કર્યુ છે. આમાં મુખ્યત્વે રામાયણ સર્કિટ, કૃષ્ણ સર્કિટ, બુંદેલખંડ સર્કિટ, મહાભારત સર્કિટ, સૂફી સર્કિટ, ક્રાફ્ટ સર્કિટ, ફ્રીડમ ફાઇટર સર્કિટ, જૈન સર્કિટ, વાઇલ્ડ લાઇફ અને ઇકો ટુરિઝમ સર્કિટ વિકસાવવામાં આવશે.

આ સર્કિટ બનાવવાની યોજનાને સરકારે ગયા વર્ષે જ લીલી ઝંડી આપી દીધી હતી. આ યોજના હેઠળ ભગવાન રામ સાથે સંકળાયેલા પર્યટન સ્થળો અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવશે.

કૃષ્ણ સર્કિટમાં મથુરા, વૃંદાવન, ગોકુલ, ગોવર્ધન, બરસાના, નંદગાંવ, બલદેવ અને અન્ય ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવશે. આ જ તર્જ પર કપિલવસ્તુ, સારનાથ, કુશીનગર, કૌશામ્બી, શ્રાવસ્તીને બૌદ્ધ સર્કિટથી જોડવામાં આવશે.

મહાભારત સર્કિટની વાત કરીએ તો, તેમાં હસ્તિનાપુર, કમ્પિલ્ય, ઈછત્ર, કૌશામ્બી, ગોંડા, લક્ષાગૃહ, બરનાવા ઉમેરવાશે. શાહજહાંપુર, મેરઠ, કાકોરી, ચૌરીચૌરા જેવા સ્થળોને સ્વતંત્રતા સંગ્રામ સર્કિટમાં વિકસાવવામાં આવશે. સરકારનું આ અભિયાન રાજ્યમાં પ્રવાસનને નવી દિશા આપશે.

રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે યોગી સરકારે તેને લગતી શક્યતાઓને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે માત્ર હેરિટેજ સાઈટોને હાઈવે સાથે જોડવામાં આવી રહી નથી પરંતુ આ સ્થળોને પ્રવાસીઓ માટે ખાસ બનાવવામાં આવી રહ્યા છે અને તેમને અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં પ્રવાસનની શક્યતાઓ શોધવા સાથે ગ્રીન ઈન્વેસ્ટમેન્ટને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે પ્રવાસન સ્થળો પર ઈ-બસ અને ઈ-રિક્ષા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અહીં ડીઝલ અને પેટ્રોલ પર ચાલતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે. યોગી સરકાર ખાનગી ઓપરેટરોને ગ્રીન ટ્રાન્સપોર્ટને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X