રાજ ઠાકરેની ધરપકડ, ભારે હોબાળા બાદ થઇ મુક્તિ
મુંબઇ, 12 ફેબ્રુઆરી: મનસે પ્રમુખ રાજ ઠાકરેને મુક્ત કરી દેવામાં આવ્યા છે. તેમની એમએનએસના રસ્તા રોકો આંદોલન દરમિયાન આજે ધરપકડ કરવામાં આવી હતી. રાજ ઠાકરેએ છૂટ્યા બાદ જણાવ્યું કે એમએનએસનો માર્ગ રોકો આંદોલન સફળ રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેમણે કાર્યકર્તાઓને શાંતિ રાખવા માટે અપીલ કરી છે. રાજે જણાવ્યું કે મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણનો તેમની પર ફોન આવ્યો હતો અને તેઓ તેમને મળવા માટે કાલે જશે.
મહારાષ્ટ્રમાં ટોલ પ્લાઝાની વિરુધ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું 'માર્ગ રોકો' અભિયાન શરૂ થયાની સાથે જ પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેને ઉપનગર ચેમ્બૂરમાં કેદમાં લઇ લેવામાં આવ્યા હતા. અને ઠેરઠેર વાહનવ્યવહાર ખોરવાના કારણે પ્રદર્શનકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે રાજ ઠાકરેને અભિયાનમાં ભાગ નહીં લેવાની ચેતાવણી આપી હતી. તેમ છતાં આ અભિયાન શરૂ થયું. ઠાકરેએ પોલિસની નોટિસને ગણકાર્યા વગર જણાવ્યું કે રાજમાર્ગો પર સવારે 9 વાગ્યાથી વાહનવ્યવહાર બંધ રહેશે. ઠાકરેના સમર્થકોએ ગયા પખવાડીએ રાજ્યભરમાં ઘણા ટોલ પ્લાઝામાં તોડફોડ કરી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
