યુપીમાં 6 IPS અધિકારીઓનું ટ્રાંસફર, લખીમપુર હિંસા કેસની SITના પ્રમુખ DIG ઉપેન્દ્ર અગ્રવાલ પણ સામેલ
ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં વહીવટી સ્તરે મોટો ફેરબદલ કર્યો છે. ગુરુવારે મોડી રાત્રે યોગી સરકારે 6 IPS અધિકારીઓની બદલી કરી હતી. તેમાં લખીમપુર ખેરી હિંસાની તપાસ ટીમના ચેરમેન ઉપેન્દ્ર અગ્રવાલનું નામ પણ સામેલ છે. આ સિવાય સં
ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં વહીવટી સ્તરે મોટો ફેરબદલ કર્યો છે. ગુરુવારે મોડી રાત્રે યોગી સરકારે 6 IPS અધિકારીઓની બદલી કરી હતી. તેમાં લખીમપુર ખેરી હિંસાની તપાસ ટીમના ચેરમેન ઉપેન્દ્ર અગ્રવાલનું નામ પણ સામેલ છે. આ સિવાય સંજીવ ગુપ્તા, અનિલ રાય, કેપી સિંહ, રાજેશ મોડક અને રાકેશ સિંહની બદલી કરવામાં આવી છે. યુપીના અધિક મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થી દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
2022 ની ચૂંટણી પહેલા બદલીનો તબક્કો શરૂ થયો
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આદર્શ આચારસંહિતા અમલમાં આવે તે પહેલા સરકારે બદલીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ક્રમમાં છ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. લખીમપુર ખેરી હિંસા કેસની તપાસ કરતી એસઆઈટીના વડા ઉપેન્દ્ર કુમાર અગ્રવાલ અને બસ્તીના આઈજીની પણ બદલી કરવામાં આવી છે.
ઉપેન્દ્ર અગ્રવાલને ડીઆઈજી દેવીપાટન રેન્જ બનાવાયા
લખીમપુર ખેરી હિંસાની તપાસ ટીમના ચેરમેન ઉપેન્દ્ર અગ્રવાલને ડીઆઈજી દેવીપાટન રેન્જ બનાવવામાં આવ્યા છે. ડો.સંજીવ ગુપ્તાને આઈજી લો એન્ડ ઓર્ડરની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ અનિલ કુમાર રાયને આઈજી પીએસી સેન્ટ્રલ ઝોન, કવિન્દ્ર પ્રતાપ સિંહ આઈજી અયોધ્યા રેન્જ બનાવવામાં આવ્યા છે, જ્યારે રાજેશ મોડક આઈજી બસ્તી રેન્જ અને રાકેશ સિંહ આઈજી પ્રયાગરાજ રેન્જ બનાવવામાં આવ્યા છે.