વારાણસીમાં ટ્રાન્સજેન્ડરે નરેન્દ્ર મોદીને ચૂંટણી મેદાનમાં પડકાર્યા
વારાણસી, 1 એપ્રિલ : દેશમાં લોકસભા ચૂંટણી 2014માં અતિ મહત્વની બની ગયેલી વારાણસી બેઠક પરથી ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે એક ટ્રાન્સજેન્ડર (કિન્નર) કમલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
કમલા જીવનના છઠ્ઠા દાયકામાંથી પસાર થઇ રહ્યા છે. તેમણે સોમવાર 31 માર્ચના રોજ વારાણસી બેછક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભરીને નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલને પડકાર ફેંક્યો છે.

વારાણસીના મતદારોને પોતાને વોટ કરવાની અપીલ કરતા તેમણે જણાવ્યું કે 'અરવિંદ કેજરીવાલે દિલ્હીની ગાદી પરથી ઉતરી જવું પડ્યું અને પાછી પાની કરવી પડી. તેમણે જનતાનો વિશ્વાસ ગુમાવ્યો છે. જ્યારે નરેન્દ્ર મોદી હજી પણ 2002ના ગુજરાત રમખાણોના દાગથી પીછો છોડાવી શક્યા નથી. આ સામે મારી છબી બેદાગ છે.'
કમલાએ જણાવ્યું કે વારાણસી ભગવાન શિવની પવિત્ર ભૂમિ છે. ભગવાન શંકરને અર્ધનારિશ્વર તરીકે પણ પૂજવામાં આવે છે. આ સ્વરૂપ શિવ અને તેમના પત્ની પાર્વતીનું સંયુક્ત સ્વરૂપ છે. કિન્નરોને અર્ધનારિશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી હું અપીલ કરું છું કે મને મત આપવામાં આવે.
કમલા પૂર્વાંચલમાં કિન્નરોના વડા છે. તેમનું કહેવું છે કે અમારી જમાત સૌનું ભલું અને બધાની ખુશી ઇચ્છે છે. જનતા અમને ચૂંટી લાવશે તો અમે વધારે ખુશીઓ આપીશું. આગામી 10 એપ્રિલના રોજ દેશના અંદાજે 20000 કિન્નરો વારાણસીમાં એકત્ર થઇને કમલાને સમર્થન આપશે. ત્યાર બાદ ઝોલી લઇને લોકો પાસેથી મત આપવાની અપીલ કરવામાં આવશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
