ટ્રિપલ તલાક બિલને આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી શકે છે
ટ્રિપલ તલાક બિલને આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી શકે છે
નવી દિલ્હીઃ પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પીએમ મોદી સરકારના આગલા પાંચ વર્ષના કાર્યયોજના પર ચર્ચા કરી શકે છે. આ દરમિયાન અહેવાલો મળી રહ્યા છે કે બુધવારે મળનાર બેઠકમાં ત્રણ તલાક બિલને નવી રીતે લાવવા પર પણ ચર્ચા થઈ શકે છે. સૂત્રો મુજબ કેબિનેટની બેઠકમાં આ નવા બિલને મંજૂરી મળી શકે છે.
કેબિનેટ પાસેથી મંજૂરી મળ્યા બાદ 17 જૂનથી શરૂ થતા સત્ર દરમિયાન સંસદમાં આ રજૂ કરવામાં આવશે. સંસદમાં રજૂ થયા બાદ પ્રસ્તાવિત બિલ આ વર્ષની શરૂઆતમાં લાગૂ બિલની જગ્યા લેશે. ત્રિપલ તલાક બિલ પાછલી સરકારમાં લોકસભામાં પાસ થઈ ગયું હતું પરંતુ આખરી સમય સુધી આ બિલ રાજ્યસભામાં જ અટકી પડ્યું હતું. વિપક્ષ આ બિલમાં કેટલાક સંશોધનની માંગણી કરી રહ્યા હતા. 16મી લોકસભા ભંગ થતાની સાથે જ આ બિલ પણ નિષ્પ્રભાવી થઈ ગયું હતું.
મોદી
કેબિનેટની
આજે
બેઠક
હાલમાં જ કેન્દ્રી કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટ કર્યું હતું કે મુસ્લિમ મહિલાઓના અધિકારોની રક્ષા માટે મોદી સરકાર પ્રતિબદ્ધ છે અને સંસદમાં ફરીથી ત્રિપલ તલાક વિરુદ્ધ બિલ લાવશે. અગાઉ મોદી કેબિનેટમાં સોમવારે તમામ મંત્રાલયોના સચિવો સાથે થયેલ બેઠકમાં જે મહત્વના મુદ્દા સામે આવ્યા તેને પ્રાથમિકતાના હિસાબે આગળ વધારવામાં આવશે.
સરકાર સમક્ષ લોકોના જીવન સ્તરને સુધારવા, ગરીબી ઓછી કરવા, ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડવા અને જિલ્લાઓને મહત્વ આપવું અગત્યનો વિષય છે. પીએમ મોદી આ બેઠકમાં રાજ્ય મંત્રિઓના કામકાજ પર પણ ચર્ચા કરી શકે છે.
જણાવી દઈએ કે એનડીએ સરકારના બીજા કાર્યકાળમાં સંસદનું સત્ર આગલા અઠવાડિયે શરૂ થશે, એવામાં રાજ્ય મંત્રિઓની મહત્વની ભૂમિકા હશે. કેટલાય મંત્રીઓમાં આ મંત્રીઓ પર સંસદના પટલમાં પૂછવામાં આવેલ સવાલોના જવાબ આપવા તેમની મહત્વની જવાબદારી છે, જેવી રીતે પીએમ મોદીએ આ રાજ્યમંત્રિઓને આગલા 100 દિવસની કાર્યયોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો- આરબીઆઈનો મોટો નિર્ણય, ઝીરો બેલેન્સ ખાતામાં સુવિધાઓ વધારી