સબરીમાલાઃ કોચ્ચિ પહોંચેલી તૃપ્તિ દેસાઈને એરપોર્ટ પર જ રોકવામાં આવી
શુક્રવારે સવારે તૃપ્તિ દેસાઈ સબરીમાલા મંદિરમાં દર્શન માટે કોચ્ચિ પહોંચ્યા છે પરંતુ તેમને એરપોર્ટ પર જ રોકી લેવામાં આવ્યા છે.
કેરળના બહુચર્ચિત સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓની એન્ટ્રી અંગે ચાલી રહેલ વિવાદ વચ્ચે શુક્રવારે મંદિરનના દ્વાર ફરીથી ખુલી ગયા છે. આ દરમિયાન ભૂમાતા બ્રિગેડની સંસ્થાપક અને સામાજિક કાર્યકર્તા તૃપ્તિ દેસાઈ માટે હોબાળો સર્જાયો છે. તે શુક્રવારે સવારે સબરીમાલા મંદિરમાં દર્શન માટે કોચ્ચિ પહોંચ્યા છે પરંતુ તેમને એરપોર્ટ પર જ રોકી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તૃપ્તિ દેસાઈએ એલાન કર્યુ હતુ કે તેઓ આજે મંદિરમાં પ્રવેશ કરશે અને ભગવાન અયપ્પાના દર્શન કરશે.
|
તૃપ્તિ દેસાઈને એરપોર્ટથી બહાર નીકળવા નથી દેતી પોલિસ
તૃપ્તિને એરપોર્ટ પર રોકી દેવાની સૂચના બાદ એરપોર્ટના બહાર અરાઈવલ લોન્જમાં સેંકડોની સંખ્યામાં લોકો જમા થયા છે. ત્યાં હાજર લોકો તૃપ્તિના આવવાનો વિરોધ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે કોઈ પણ કિંમતે તૃપ્તિને મંદિરની અંદર ઘૂસવા દેવામાં નહિ આવે. તૃપ્તિનો વિરોધ સતત થઈ રહ્યો હતો એટલા માટે અહીં આવતા પહેલા તેમણે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને એક પત્ર લખીને સુરક્ષાની માંગ કરી છે.

‘વિરોધીઓની લાશ પરથી પસાર થવુ પડશે તૃપ્તિને'
એરપોર્ટન બહાર પ્રદર્શન કરી રહેલો લોકો તૃપ્તિના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો દેસાઈ મંદિરમાં એન્ટ્રી કરવાની કોશિશ કરશે તો તેમને વિરોધીઓની લાશ પરથી પસાર થવુ પડશે.

‘માઠા પરિણામો ભોગવવા' ની ધમકીઓ
તમને જણાવી દઈએ કે સબરીમાલા મંદિરના દ્વારા આજે સવારે 5 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તૃપ્તિ દેસાઈ પોતાના સાથીઓ સાથે મંદિર જવા માટે કોચ્ચિ પહોંચી છે. તેમને કેરળ આવવા પર માઠા પરિણામો ભોગવવાની ધમકી મળી ચૂકી છે. ઘણા લોકોએ આત્મહત્યાની ધમકી પણ આપી છે.

શનિ શિંગણાપુર મંદિર
તમને જણાવી દઈએ કે તૃપ્તિ ઘણા સમયથી મહિલાઓના મંદિરોમાં ભેદભાવ અંગે એક અભિયાન ચલાવી રહી છે. થોડા સમય પહેલા તેમના દ્વારા 400 વર્ષ જૂની શનિ શિંગણાપુર મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે અવાજ ઉઠાવ્યો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
