બે દિવસ માટે ભારત બંધ શરૂ, જાણો કેમ છે હડતાલ
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: વધતી જતી મોંઘવારી સહિત કેટલીક માંગણીઓને લઇને ટ્રેડ યુનિયનોની હડતાલના કારણે બે દિવસનું ભારત બંધ શરૂ થઇ ગયું છે. દિલ્હી, મુંબઇ, બેંગ્લોરથી માંડીને દરેક નાના-મોટાં શહેરોમાં બંધની વ્યાપક અસર જોવા મળે છે. જ્યાં બસો બંધ છે, ત્યાં રિક્ષાવાળા 4 કિલોમીટર સુધી જવા માટે 100 રૂપિયા માંગી રહ્યાં છે, જ્યાં રિક્ષાચાલકો હડતાલ પર છે ત્યાં પ્રાઇવેટ બસોના ભાડા આસમાને પહોંચી ગયા છે.
દૂધ, શાકભાજીમ ફળ વગેરે બજારમાં મળી તો રહ્યાં છે પરંતુ શાકમાર્કેટમાં સન્નાટો છવાયેલો છે. કારણ કે ટ્રકોની હડતાલના કારણે સવારમાં તાજી શાકભાજી કે ફળ-ફળાદિ મળી રહ્યાં નથી. કેટલાક શહેરોમાં તો દૂધ પણ પહોંચ્યું નથી. આ વખતે તો દવાની દુકાનો પણ બંધ છે. મુંબઇમાં લોકલ ટ્રેનો અને દિલ્હીમાં મેટ્રો દોડી રહી છે.

બંધની અસર પર અમે તમને અપડેટ આપતા રહીશું પરંતુ તે પહેલાં જાણો લો કે આ હડતાલ કેમ છે-
1: કેન્દ્ર સરકાર વધતી જતી મોંઘવારી પર લગામ કસવામાં નિષ્ફળ નિવડે છે, માટે નિતિઓમાં ફેરફાર કરવામાં આવે.
2: સરકારી સંગઠનોમાં અનુકંપાના આધારે નોકરી આપવામાં આવે.
3: આઉટસોર્સિંગ બંધ કરી સ્થાયી નોકરીઓ આપવામાં આવે.
4: મોંઘવારીને જોતાં ન્યૂનતમ મજૂરી વધારવામાં આવે
5: બેંકોના વિલય નિતીને લાગૂ કરવામાં ન આવે.
6: કેન્દ્રિય કર્મચારીઓના વેતનમાં દર પાંચ વર્ષે વધારો કરવામાં આવે.
7: સરકારી સંસ્થાઓની ભાગીદારી ખાનગી કંપનીઓને વહેંચવામાં ન આવે.
8: શ્રમ અને કાનૂનમાં ફેરફાર કરવામાં આવે.
9: નવી પેન્શન સ્કીમ બંધ કરીને જૂની લાગુ કરવામાં આવે.
10: રિટેલ સેક્ટરમાં એફડીઆઇનો નિર્ણય પાછો ખેંચવામાં આવે.












Click it and Unblock the Notifications
