વિદ્યાર્થિનીઓને સશક્ત બનાવી રહ્યો છે મોદી સરકારનો પ્રોજેક્ટ 'ઉડાન'
વિદ્યાર્થિનીઓને સશક્ત બનાવી રહ્યો છે પ્રોજેક્ટ 'ઉડાન'
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે વિદ્યાર્થિનીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે કેટલીક પહેલો કરી છે. જેમાં પ્રોજેક્ટ ઉડાન સૌથી બેસ્ટ માનવામાં આવી રહ્યો છે. ધોરણ 11 અને 12ની વિદ્યાર્થિનીઓને પ્રવેશ પરીક્ષાઓ માટે ઉડાન અંતર્ગત બિલકુલ ફ્રી તૈયારી કરાવવામાં આવે છે.

કોણ આ પ્રોજેક્ટનો લાભ લઈ શકે?
- એ તમામ વિદ્યાર્થિનીઓ જે કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સીબીએસઈ કે અન્ય માન્યા પ્રાપ્ત બોર્ડથી સરકારી કે પ્રાઈવેટ સ્કૂલમાં ધોરણ 11માં ભણી રહી હોય. તેઓ નીચે જણાવેલ રીત મુજબ પ્રવેશ મેળવી શકે છે.
- વિદ્યાર્થિનીઓનું સિલેક્શન મેરિટના આધારે કરવામાં આવશે. જ્યારે સાપ્તાહિક વર્ચ્યુઅલ ધોરણ માટે પોતાના શહેરના હિસાબે વિદ્યાર્થિઓનું સિલેક્શન થશે.
- 11મા ધોરણની વિદ્યાર્થિનીઓ પાસે ગણિત, ભૌતિક અને રસાયણ વિજ્ઞાન વિષય હોવા જોઈએ.
- વિદ્યાર્થિનીના ધોરણ 10માં ઓછામાં ઓછા 70 ટકા આવ્યા હોય જ્યારે સાયન્સ અને ગણિતમાં 80 માર્ક્સ આવ્યા હોવા જોઈએ. જે બોર્ડ સજીપીએ ફૉલો કરે છે તેવી બૉર્ડની વિદ્યાર્થિનીઓ માટે 10મામાં ઓછામાં ઓછા 8 અે સાયન્સ, મેથ્યમાં નૌ જીપીએ સ્કોર હોવો જોઈએ.
- એડમિશનમાં જેઈઈ (એડવાન્સ) મુજબ આરક્ષણ લાગુ પડશે, ઓબીસી 27 ટકા, એસસીને 15 ટકા અને એસટીને 7.5 ટકા જ્યારે પીડબલ્યૂડી કેટેગરી માટે ત્રણ સીટ રિઝર્વ રાખવામાં આવે છે.
- એડમિશન માટે વિદ્યાર્થિનીના પરિવારની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ.
આવી રીતે અરજી કરો
સ્ટેપ 1- એપ્લીકેશન ફોર્મ ભરો
સ્ટેપ 2- ફોટો અપલોડ કરો
સ્ટેપ 3- ફોર્મ ડાઉનલોડ કરો
સ્ટેપ 4- માર્ગદર્શિકા ડાઉનલોડ કરો
હેલ્પલાઈન નંબર- 011-23214737
આ પણ વાંચો- ઓછી લાગતવાળી દવાઓ અને ઉપકરણથી મળશે નવું જીવન












Click it and Unblock the Notifications
