ઉદેપુરમાં ભારતીય સેનાએ અંજામ આપ્યો મોટા ફાયર ફાઇટિંગ ઓપરેશનને
ઉદેપુરમાં લશ્કરના કેમ્પ પાસેના જંગલમાં લાગ્યો દાવાનળ. ત્યારે આર્મી અને નેવી શરૂ કર્યું સૌથી મોટું ફાયર ફાઇટિંગ ઓપરેશન વધુ વાંચો અહીં.
રાજસ્થાનના ઉદેપુરમાં 28 માર્ચ 2017ના રોજ બપોર આસપાસના વનમાં આગ ફાટી નીકળી હતી. દાવાનળ લાગતા જ તેની ભયાવહતાને જોઇને ભારતીય સેના અને વાયુ દળની મદદ લેવામાં આવી હતી. આ આગ ઉદેપુરના એકલિંગઢ મિલિટરી કેન્ટોન્મેન્ટના મિલિટરી કેમ્પના દક્ષિણ ભાગમાં લાગી હતી. જો કે આગ જલ્દીથી ફેલાતા ભારતીય વાયુ સેના અને ભારતીય સેના દ્વારા મોટું ફાયર ફાઇટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.

વળી ગાંધીનગરને પણ આ મામલે સતર્ક કરવામાં આવ્યું હતું. અને વાયુ સેનાના બે હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. જો કે સદ્દનસીબે આગના કારણે કોઇ જાનહાનિ નહતી થઇ. પણ સેનાએ આખી રાત આ ઓપરેશન ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. અંદાજે 25000 લિટર પાણીના છંટકાવ અને સૈનિકોનો અથાગ મહેનતથી આ આગ અસરકારક રીતે બુઝાવવામાં આવી હતી.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
