ઉદેપુરમાં ભારતીય સેનાએ અંજામ આપ્યો મોટા ફાયર ફાઇટિંગ ઓપરેશનને
ઉદેપુરમાં લશ્કરના કેમ્પ પાસેના જંગલમાં લાગ્યો દાવાનળ. ત્યારે આર્મી અને નેવી શરૂ કર્યું સૌથી મોટું ફાયર ફાઇટિંગ ઓપરેશન વધુ વાંચો અહીં.
રાજસ્થાનના ઉદેપુરમાં 28 માર્ચ 2017ના રોજ બપોર આસપાસના વનમાં આગ ફાટી નીકળી હતી. દાવાનળ લાગતા જ તેની ભયાવહતાને જોઇને ભારતીય સેના અને વાયુ દળની મદદ લેવામાં આવી હતી. આ આગ ઉદેપુરના એકલિંગઢ મિલિટરી કેન્ટોન્મેન્ટના મિલિટરી કેમ્પના દક્ષિણ ભાગમાં લાગી હતી. જો કે આગ જલ્દીથી ફેલાતા ભારતીય વાયુ સેના અને ભારતીય સેના દ્વારા મોટું ફાયર ફાઇટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.

વળી ગાંધીનગરને પણ આ મામલે સતર્ક કરવામાં આવ્યું હતું. અને વાયુ સેનાના બે હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. જો કે સદ્દનસીબે આગના કારણે કોઇ જાનહાનિ નહતી થઇ. પણ સેનાએ આખી રાત આ ઓપરેશન ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. અંદાજે 25000 લિટર પાણીના છંટકાવ અને સૈનિકોનો અથાગ મહેનતથી આ આગ અસરકારક રીતે બુઝાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
