For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરની હાલત સુધરી છે: વિલિયમ હેગ

|
Google Oneindia Gujarati News

willam hague
નવી દિલ્હી, 8 નવેમ્બર: બ્રિટેને પોતાના નાગરિકોને જમ્મૂ તથા કાશ્મીરનો પ્રવાસ કરવાની સલાહ આપતા જણાવ્યું હતુ કે જમ્મૂ-કશ્મીરમાં હવે હાલાત સુધર્યા છે.

ભારત પ્રવાસ આવેલા બ્રિટેનના વિદેશમંત્રી વિલિયમ હેગે જણાવ્યું હતું કે 'હવે અમે અમારા નાગરિકોને જમ્મૂ અને કાશ્મીરનો પ્રવાસ ખેડવાનો ઇનકાર નથી કરી રહ્યા'

જમ્મૂ અને શ્રીનગર રાજમાર્ગ પર યાત્રા નહીં કરવાની સલાહ પણ પાછી ખેંચી લીધી છે. ઉલ્લેખનીય છે કે બ્રિટેને વર્ષ 1995માં પોતાના નાગરિકોને જમ્મૂ તથા કાશ્મીરની યાત્રા નહીં કરવાની સલાહ આપી હતી, આ સલાહને મંગળવારે પાછી ખેંચી લીધી છે.

આ મુદ્દે પ્રકાશ પાડતા હેગે જણાવ્યું હતું કે ' જમ્મૂ તથા કાશ્મીરની સ્થિતિમાં સુધારો થયો છે, તથ્યોનું પરિક્ષણ કર્યા બાદ જ આ પહેલા જારી કરાયેલ યાત્રા નહી કરવાની સલાહને પાછી ખેંચી લેવામાં આવી છે'

English summary
The United Kingdom on 6 November 2012 lifted its around twenty years old travel advisory for its nationals against travel to Srinagar, Jammu and Ladakh, referring improvements of the security situation in the State.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X