ઉન્નાવ રેપ કેસ: પીડિતાના ઘરે પહોંચ્યા સાક્ષી મહારાજ, લોકોએ કર્યો વિરોધ
યુપીમાં ઉન્નાવના રેપ પીડિતાના મોત બાદ તેના પરિવારજનો આઘાત પામ્યા છે. રાજકારણીઓ તેમની સંવેદના વ્યક્ત કરવાની આડમાં તેમના રાજકીય રોટલો સેકી રહ્યા છે.
યુપીમાં ઉન્નાવના રેપ પીડિતાના મોત બાદ તેના પરિવારજનો આઘાત પામ્યા છે. રાજકારણીઓ તેમની સંવેદના વ્યક્ત કરવાની આડમાં તેમના રાજકીય રોટલો સેકી રહ્યા છે. શનિવારે સવારે સપા પ્રમુખ અખિલેશ યાદવે વિધાનસભાની બહાર ધરણા કર્યા હતા. તે જ સમયે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉન્નાવમાં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી. તેમના પછી, ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજ ઘણા મંત્રીઓ સાથે પીડિતના ઘરે પહોંચ્યા હતા. સાક્ષી સાથે મંત્રીઓ કમલ રાની વરુણ અને સ્વામી પ્રસાદ મૌર્ય પણ હતા, તેમને આવતા જોઈને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) ના સભ્યોએ વિરોધ શરૂ કર્યો. એનએસયુઆઈના સેંકડો સભ્યોએ સાક્ષી મહારાજ અને મંત્રીઓને ઘેરી લીધા હતા. રાજ્યની ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ થયા. પોલીસે વિરોધીઓને વિખેરવાની સકોશીશ કરી હતી. કેટલાંક વિદ્યાર્થીઓને પોલીસે નેતાઓના રસ્તામાંથી ઉઠાવીને સાઇડમાં કર્યા હતા.

રેપ પીડિતાના ઘરે પહોંચ્યા સાક્ષી મહારાજ
આ દરમિયાન સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે, હું મારા પક્ષની સાથે સાથે પીડિત પરિવારના સમર્થનમાં છું. સંસદમાં પણ હું આ અંગે અવાજ ઉઠાવું છું. ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે, કોઈને બક્ષવામાં આવશે નહીં. ઉન્નાવનું નામ બદનામ કરવામાં આવ્યું છે.
જોકે, સાક્ષીએ થોડા સમય પહેલા જ બળાત્કારના આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને જન્મદિવસની શુભેચ્છા આપવાનાં પ્રશ્નો પર કંઇ જવાબ આપ્યો ન હતો. જોકે, ઉન્નાવ બળાત્કારના મામલે લોકોમાં ગુસ્સો છે અને ભાજપ સરકાર પોતે જ બળાત્કારીઓને સજા આપવાનું વચન આપી રહી છે.

આરોપીને પહેલા કર્યો હતો સપોર્ટ
સાક્ષીએ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર ટ્વીટ કરીને લખ્યું, 'સુદિનન સુદિનમ બર્થડે, ભવતુ મંગલમ બર્થ ડે. ચિરંજીવ કુરુ પુણ્યવર્ધનમ્, વિજયી ભવ સર્વત્ર સર્વદા, જગતિ ભવતુ તવ સુયેશો ગાનમ્। બાંગરમઉના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર જન્મદિવસની શુભેચ્છા.
સાક્ષીઓએ આ ટ્વિટ કરતાની સાથે જ નિશાને આવી ગયા હતા. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સાક્ષીને પ્રશ્નો કર્યા હતો. પ્રિયંકાએ કહ્યું કે, "કાયદો બનાવી રહેલા ભાજપના ધારાસભ્યો બળાત્કારના આરોપી ભાજપના નેતાને અભિનંદન સંદેશ મોકલી રહ્યા છે. ગઈકાલે આરોપીઓએ ઉન્નાવમાં બળાત્કાર પીડિતાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ધારાસભ્યો આરોપીની તરફેણમાં ઉભા છે. ગુનેગારો સામે લડવાની હિંમત કોણ આપશે?
થોડી વારમાં જ સાક્ષીએ તેનું ટ્વીટ ડિલીટ કર્યું. હવે તેની ટ્વિટના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે.

કુલદીપસિંહ સેંગર કોણ છે?
ઉન્નાવના બાંગારમાઉના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર ઉપર ઉન્નાવમાં જ એક છોકરી પર બળાત્કાર કરવાના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. સેંiર પર આરોપ છે કે તે પોતાને બચાવવા માટે મહિલા અને તેના પરિવારની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યુવતીના પરિવારના ઘણા સભ્યો પણ માર્યા ગયા છે. જે બાદ સેંગરને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. સેંગર એ વિસ્તારનો પ્રબળ નેતા માનવામાં આવે છે. તેઓ અગાઉ ભાજપમાં હતા.
આ પણ વાંચો: કેરળ: રેપ એન્ડ મર્ડર કેસમાં આરોપીને ટોળાએ મેથીપાક ચખાડ્યો, હોસ્પિટલમાં દાખલ
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
