અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન વિશે સરકારે મીડિયા માટે જારી કરી એડવાઈઝરી
અયોધ્યા જિલ્લા પ્રશાસને ટીવી ન્યૂઝ ચેનલોને ભૂમિ પૂજન દરમિયાન પ્રસારણ વિશે એડવાઈઝરી જારી કરી છે.
અયોધ્યામાં 5 ઓગસ્ટે યોજાનાર રામ જન્મભૂમિ પૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અયોધ્યા જિલ્લા પ્રશાસને ટીવી ન્યૂઝ ચેનલોને ભૂમિ પૂજન દરમિયાન પ્રસારણ વિશે એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે આવતા સપ્તાહે રામ મંદિરના ભૂમિ પૂજનને કવર કરનારા ન્યૂઝ ચેનલોને લેખિતમાં એ આશ્વાસન આપવુ પડશે કે એ દિવસે કોઈ પણ વિવાદિત પક્ષકારને પેનલમાં શામેલ નહિ કરે. સાથે જ એ પણ સુનિશ્ચિત કરવાનુ રહેશે કે પ્રસારણ દરમિયાન કોઈ પણ ધર્મ, સમાજ, સંપ્રદાય કે કોઈ વિશિષ્ટ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં ન આવે.

જિલ્લા પ્રશાસન તરફથી જારી કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ, 'જો કોઈ ન્યૂઝ ચેનલના કારણે કાયદો વ્યવસ્થા બગડવાની કોઈ સ્થિતિ પેદા થઈ તો તેના માટે એ ઈલેક્ટ્રોનિક મીડિયા હાઉસના હેડને જવાબદાર ગણવામાં આવશે. મીડિયા હાઉસના હેડે લેખિતમાં આપવાનુ રહેશે કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં આવે અને જો કોઈ પ્રકારે કોઈ ગરબડ થશે તો તેની જવાબદારી મારી વ્યક્તિગત રીતે હશે.'
ડિબેટ માટે આપવાનુ રહેશે આ આશ્વાસન
ન્યૂઝ ચેનલોને મોકલવામાં આવેલ ફૉર્મટમાં જણાવવામાં આવ્યુ છે કે કવરેજ માટે 9 પ્રમુખોની મંજૂરી લેવાની રહેશે અને સાથે જ કાર્યક્રમ માટે કોઈ સાર્વજનિક સ્થળના બદલે એક ખાનગી ઈનડોર જગ્યા પસંદ કરવાની રહેશે. આ દરમિયાન ચેનલની ડિબેટમાં જે પક્ષકારોને શામેલ કરવામાં આવશે, તેના વિશે લેખિતમાં આશ્વાસન આપવાનુ રહેશે કે, 'આ કાર્યક્રમમાં કોઈ વિવાદિત પક્ષકારને નહિ બોલાવવામાં આવે. કોઈ ધર્મ, સંપ્રદાય, પંથ કે કોઈ વ્યક્તિ વિશેષ પર કોઈ ટિપ્પણી કરવામાં નહિ આવે.'
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
