એઇડ્સે કર્યા અનાથ, બાળકો સ્મશાનમાં રહેવા માટે બન્યા મજબૂર
પ્રતાપગઢ, 26 જુલાઇ: ઉત્તર પ્રદેશના એક ગામમાં પોતાના મા-બાપનું એઇડ્સના કારણે મોત નિપજ્યું થયા બાદ બાળકો સ્મશાનમાં રહેવા માટે મજબૂર છે. પ્રતાપગઢના જમુઆ ગામમાં આ પાંચ બાળકોમાં સૌથી નાનું બાળક સાત વર્ષનું છે. આ બધા બાળકો પોતાના માતા-પિતાનું એઇડ્સથી મોત નિપજતાં સ્મશાનમાં રહેવા માટે મજબૂર છે. બાળકોના સંબંધીઓને ભય છે કે ક્યાંય તેમને પણ ચેપ ન લાગી જાય, ત્રણ મહિના પહેલાં બાળકોને તેમની એકલા મુકી દેવામાં આવ્યા હતા. આ બાળકોમાં એક છોકરી અને ચાર છોકરા પણ છે.
પોતાને રહેવા માટે કોઇ જગ્યા ન મળતાં બાળકો ગામમાં જ પોતાના માતા-પિતાની કબર પાસે રહી રહ્યાં છે. બાળકોમાં સૌથી મોટો છોકરો 17 વર્ષનો છે. કબર પાસે એક ઝાડ નીચે તાડપત્રી વડે બનાવેલ તંબૂ અને બે તૂટલા ખાટલામાં જ બાળકોનું ઘર છે અને પોતાના ભોજન માટે સંપૂર્ણ રીતે ગ્રામજનો પર નિર્ભર છે.
આટલું જ નહી સાતથી 17 વર્ષની ઉંમરના આ બાળકોને બીજા પરિવારોના લોકોની કબર પાસે રહેવા દિધા ન હતા, અને હવે ગત ત્રણ મહિનાથી તે બાળકો પોતાના મા-પિતાની કબર પાસે જ રહે છે.

આ બાળકોમાંના એક બાળક આદિલના જણાવ્યા અનુસાર 'મારા પિતાને એઇડ્સ થઇ ગયો હતો...ખતમ થઇ ગયું....પછી બે વર્ષ બાદ અમારી માતાનું મૃત્યું થઇ ગયું... તેમ છતાં અમે બધા પરિવારમાં રહેતા હતા, પરંતુ તેમને (પરિવારના અન્ય લોકોને) અમને તગેડી મૂક્યા... કહ્યું કે તેમને પણ એઇડ્સ થઇ જશે... માટે અમે લોકો અહીં સ્મશાનમાં રહીએ છીએ...''
ચંદન નામના પડોશીનું કહેવું છે, '' જ્યાં તેમના માતા-પિતાની કબર બનેલી છે, ત્યાં એક સીસમના ઝાડ નીચે પ્લાસ્ટિકનો તંબૂ બાંધીને રહે છે.' જો કે તેમના ગામમાં સરપંચ પણ છે, ધારાસભ્યનું ઘર પણ નજીક છે, અને સાંસદ પણ આ જ શહેરમાં રહે છે, પરંતુ ત્રણ મહિના સુધી કોઇએ તેમની ખબર સુદ્ધાં પણ લીધી નથી અને જ્યારે સમાચાર ચેનલોમાં પર આ અંગે બતાવવામાં આવતાં સરકારી તંત્રની ઉંઘ ઉડી અને હરકતમાં આવી ગઇ છે.
ગામના કેટલાક લોકો ઇચ્છે છે કે બાળકો સ્મશાન છોડીને જતા રહે છે. પરંતુ આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ એક ઘર ફાળવામાં આવશે. સરકારે બાળકોને સમાજની મુખ્યધારામાં લાવવાનો વાયદો કર્યો છે. મીડિયામાં આ કિસ્સો આવ્યા બાદ કલેક્ટર દ્વારા જમીનનો પટ્ટો ફાળવાવામાં આવ્યો છે. તથા બાળકોને બીપીએલ કાર્ડ તથા બેંકમાં તેમનું ખાતું ખોલવવાનો અખિલેશ સરકારે દિલાસો આપ્યો છે. આ ઉપરાંત બાળકો એક-એક લાખની મદદ મળશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
