ઉત્તરાખંડે 3560 કરોડના રાહત પેકેજની માંગણી કરી
દહેરાદૂન, 19 જુલાઇ : ઉત્તરાખંડ સરકારે પાછલા મહિને આવેલી કુદરતી આફતથી રાજ્યની પર્યટન સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું હતું. કેદારનાથ સહિતના વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ નાશ પામી હતી. આ તમામ સુવિધાઓ અને પર્યટન સુવિધાઓને પૂર્વવત કરવા માટે ઉત્તરાખંડ સરકારે કેન્દ્ર સરકાર પાસે રૂપિયા 3559.81 કરોડના આર્થિક રાહત પેકેજની માંગણી કરી છે.
આ અંગે જાહેર કરવામાં આવેલા સરકારી જાહેરાત અનુસાર રાજ્યના પર્યટન મંત્રી અમૃતા રાવતે આ માંગણી ગુરુવારે કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં યોજાયેલા પર્યટન મંત્રી સંમેલન દરમિયાન રજૂ કર હતી.
આ બેઠકમાં અમૃતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર માટે અલ્પકાલીન સમય યોજના હેઠલ 258.74 કરોડ રૂપિયા, મધ્યકાલીન યોજના માટે 322.07 કરોડ રૂપિયા અને દીર્ધકાલીન યોજના માટે 2981 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવી જોઇએ. તેમણે ઉત્તરાખંડમાં ભારે પૂરને કારણે થયેલા નુકસાનનું આકલન કરવા માટે કોઇ નિષ્ણાત સંસ્થાનો ઉપયોગ કરવાનો આગ્રહ પણ કર્યો હતો.