વિવાદિત પોસ્ટ બાદ વાઢેરાએ FB એકાઉન્ટ બંધ કર્યું
ફેસબુક પર તેમણે એક સ્ટેટ્સ અપડેટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, મેંગો પીપલ અન બનાના રિપબ્લિક!! આમ જનતા!! પોતાના આમ જનતા ગણાવીને વાઢેરા દેશને 'બનાના રિપબ્લિક' કહી રહ્યાં છે.
'બનાના રિપબ્લિક' લેટિન અમેરિકાના એ દેશોમાં પ્રચલિત મુહાવરો છે, જ્યાં ભ્રષ્ટાચાર, માફિયારાજ અને રાજકીય અવ્યવસ્થાની બોલબાલા હોય છે. વાઢેરાએ પોતાનું એકાઉન્ટ બંધ કરતા પહેલા કોમેન્ટ લખી હતી કે, હું જે કંઇપણ લખું છું તે સમાચાર બની જાય છે. લોકોને મજાક સમજાતો નથી. તેમણે રાત્રે 12 વાગ્યે પોતાનું ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું હતું.
રોબર્ટ વાઢેરાએ કહ્યું," એવું લાગે છે કે મારા ફેસબુક એકાઉન્ટમાં એવા મિત્રો છે, જેમને મજાક સમજાતી નથી. હું જે લખું છું તે સમાચાર બની જાય છે અને તેના પર ટીવી પર ચર્ચા ચાલે છે. મેં મારું એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને નવું એકાઉન્ટ શરૂ કરીશ જેમાં સમજદાર મિત્રો હશે."
બીજી તરફ આઇએસીના સભ્ય અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસે વાઢેરાના આ નિવેદનનો વિરોધ કર્યો છે અને પૂછ્યું છે કે જો તેએ ભારતને બનાના રિપબ્લિક કહી રહ્યાં છે તો પછી આ દેશને રિપબ્લિક બનાવવા માટે જવાબદાર કોણ છે? આઇએસીના કાર્યકર્તાઓએ માગણી કરી છે કે વાઢેરા માફી માંગે.