વંદે ભારત મિશનનો છઠ્ઠો ફેઝ 1 સપ્ટેમ્બરથી શરૂ, જાણો ફ્લાઈટ સમય સહિત બધુ
વંદે ભારત મિશનનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે. 1 સપ્ટેમ્બર, 2020થી છઠ્ઠા તબક્કની શરૂઆત થઈ જશે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસ(કોવિડ-19) લૉકડાઉન બાદથી ભારત સરકારે વંદે ભારત મિશનની શરૂઆત કરી હતી. આ મિશન હેઠળ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવામાં આવી રહ્યા છે. અત્યારે વંદે ભારત મિશનનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે. 1 સપ્ટેમ્બર, 2020થી છઠ્ઠા તબક્કાની શરૂઆત થઈ જશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા મુજબ છઠ્ઠા તબક્કા હેઠળ સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાની 31 ઉડાનો નિશ્ચિત થઈ ગઈ છે. આમાં કેનેડાના ટોરેન્ટો શહેરથી 17 અને વેનકુંવરથી 13 ફ્લાઈટ ઉડાન ભરશે. વળી, ચીનના શાંઘાઈ શહેરથી એક ફ્લાઈટ ઉડાન ભરશે. આ બધી ઉડાનો રાષ્ટ્રીય રાજધાની દિલ્લી આવશે.

વંદે ભારત મિશનના છઠ્ઠા તબક્કા હેઠળ ફ્લાઈટ કઈ તારીખે, કયા સ્ટેશનેથી, કેટલા વાગે ઉડાન ભરશે, સાથે જ દિલ્લીાં કેટલા વાગે ઉતરશે, આ બધી માહિતી નીચે આપેલ લિંકમાં આપવામાં આવી છે. આ બધા સવાલોના જવાબ તમને આ લિંક પર ક્લિક કરતા જ મળી જશે. આ સાથે જ ફ્લાઈટને બુક પણ કરાવી શકશો.
આ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પૂરીએ માહિતી આપી હતી કે વંદે ભારત મિશન શરૂ થવાથી લઈને ચોથા તબક્કા સુધી વિદેશોમાં ફસાયેલા 814,000થી વધુ લોકોને પાછા લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે આમાંથી 270,000થી વધુ લોકોને 53 દેશોમાંથી લાવવામાં આવ્યા છે. વંદે ભારત મિશનનો પાંચમો તબક્કો 1 ઓગસ્ટથી શરૂ થયો હતો અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારબાદ 1 સપ્ટેમ્બરથી છઠ્ઠા તબક્કાની શરૂઆત થશે જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.
વંદે ભારત મિશન હેઠળ પોતાની ફ્લાઈટ બુક કરાવવા માટે આ લિંક પર ક્લિક કરો
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
