વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું અવસાન, એપ્રિલમાં કોરોના પોઝિટિવ થયા હતા!
વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું નિધન થયું છે. વિનોદ દુઆ 67 વર્ષના હતા. વિનોદ દુઆની ગણના દેશના વરિષ્ઠ પત્રકારોમાં થતી હતી. તેમની તબિયત બગડતાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પુત્રીએ તેમના અવસાનની માહિતી આપી હતી.
દિલ્હી : વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું નિધન થયું છે. વિનોદ દુઆ 67 વર્ષના હતા. વિનોદ દુઆની ગણના દેશના વરિષ્ઠ પત્રકારોમાં થતી હતી. તેમની તબિયત બગડતાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પુત્રીએ તેમના અવસાનની માહિતી આપી હતી.
વિનોદ દુઆના હોસ્પિટલમાં હતા અને થોડા દિવસ પહેલા તેમની પુત્રી મલ્લિકા દુઆએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મારા પિતા ખૂબ બીમાર છે અને આઈસીયુમાં છે. એપ્રિલ મહિનાથી તેમની તબિયત બગડી રહી છે. તેમને પીડા ન હોવી જોઈએ. દરેક જણ તેને ખૂબ પ્રેમ કરે છે અને હું તમને બધાને વિનંતી કરું છું કે તે ઓછામાં ઓછું પીડાય તે માટે પ્રાર્થના કરો.
મળતી માહિતી મુજબ એપ્રિલથી તેમની તબિયત સતત બગડી રહી હતી અને આજે તેમને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. હિન્દી પત્રકારત્વના જાણીતા ચહેરા 67 વર્ષીય વિનોદ દુઆએ આ વર્ષે જૂનમાં તેમની પત્ની ચિન્ના દુઆને કોરોનામાં ગુમાવી દીધી હતી.
વાસ્તવમાં વિનોદ દુઆ અને તેની પત્નીને કોવિડ-19 ની બીજી લહેર દરમિયાન ગુડગાંવની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી વિનોદ દુઆની હાલત ખરાબ થઈ રહી હતી. આ દરમિયાન તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ચિન્ના દુઆ આ પહેલા જ કોરોનાને કારણે મૃત્યુ પામી હતી.
ઉલ્લેખનિય છે કે વિનોદ દુઆ જાણીતા પત્રકારો ઉપરાંત વિવાદો સાથે પણ જોડાયેલા રહ્યાં છે. મી ટુ અભિયાનમાં તેમની પર ગંભીર આક્ષેપો લાગ્યા હતા. જે બાદ તેમને મીડિયા સંસ્થાન પણ છોડવું પડ્યું હતું. વિનોદ દુઆના અંતિમ સંસ્કાર રવિવારે 12 વાગ્યે લોધી સ્મશાનગૃહમાં કરવામાં આવશે.