માછીમારને પાણીમાં તરતી જોવા મળી વિજી સિદ્ધાર્થની લાશ
હાલમાં કાફે કોફી ડેના સ્થાપક વીજી સિદ્ધાર્થ ગાયબ થયાના સમાચાર આવ્યા હતા. આ પછી, તેમની આત્મહત્યા અને શવ મળ્યાની ખબર આવી
હાલમાં કાફે કોફી ડેના સ્થાપક વીજી સિદ્ધાર્થ ગાયબ થયાના સમાચાર આવ્યા હતા. આ પછી, તેમની આત્મહત્યા અને શવ મળ્યાની ખબર આવી. આપને જણાવી દઈએ કે નેત્રાવતી નદીમાં 36 કલાક સુધી તેમની શોધ કરવામાં આવી. ત્યારે ખબર પડી કે એક માછીમારને સિદ્ધાર્થનો મૃતદેહ મળ્યો. રિતેશ નામના માછીમારે જણાવ્યું હતું કે જ્યારે તેણે સિદ્ધાર્થનો મૃતદેહ તરતો જોયો ત્યારે તેણે મંગલુરૂમાં પોલીસને જાણ કરી હતી અને જિલ્લા વહીવટ સાથે મૃતદેહને બહાર કાઢ્યો હતો.

આપને જણાવી દઈએ કે સીડીડીના સ્થાપક અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થની લાશ બુધવારે મળી હતી. તેઓ સોમવારે મંગલુરૂથી ગુમ થયા હતા. નેત્રાવતી નદીમાં કૂદી જતાં તેમના ડ્રાઇવરનું નિવેદન આવ્યું છે. ત્યારથી તેની શોધ ચાલુ હતી. સિદ્ધાર્થનો મૃતદેહ મળતા પહેલા તેની સ્યુસાઇડ નોટ પણ બહાર આવી હતી. આમાં તેણે પોતાની કંપનીના રોકાણકારોની માફી માંગી.
આ પણ વાંચો: આવકવેરાના ટોર્ચરથી ત્રાસી ગયા હતા સિદ્ધાર્થઃ કોંગ્રેસ MLA
બોર્ડ ઓફ ડાયરેક્ટર અને કોફી ડે ફેમિલીને લખેલા પત્રમાં, વીજી સિદ્ધાર્થે કહ્યું હતું કે, તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં હું સફળ બિઝનેસ મોડેલ બનાવવામાં નિષ્ફળ ગયો. મેં તેને બધું જ આપ્યું, પરંતુ જેમણે મારા પર વિશ્વાસ રાખ્યો તેમને નિરાશ કર્યા, હું તેના માટે દિલગીર છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો, પરંતુ આજે મેં હાર માની લીધી કારણકે એક પ્રાઇવેટ ઇકવીટી પાર્ટનરના શેર બાયબેક કરવાનો દબાવ સહન નહીં કરી શક્યો, જે ટ્રાન્જેક્શન મેં આંશિક રૂપે 6 મહિના પહેલા એક મિત્ર સાથે ફંડ ભેગું કરવા માટે કર્યું હતું.
આ પણ વાંચો: બે વર્ષ પહેલા વીજી સિદ્ધાર્થના ઠેકાણાઓ પર આઈટીના દરોડા પડ્યા હતા
આપને જણાવી દઈએ કે કોફી ઉદ્યોગસાહસિક સિદ્ધાર્થે તાજેતરમાં કોકા કોલા સાથે વાત કરીને તેમના કોફી રિટેલ બિઝનેસમાં ભાગ લેવાની ઓફર કરી હતી. તેમનો કોફી રિટેલ વ્યવસાય માર્ચ 2020 માં લગભગ 2250 કરોડના વેચાણ સાથે બંધ થવાની અપેક્ષા રાખતો હતો.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
