For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં ભૂમિ પૂજન માટે દિવાળી જેવી ઉજવણીની તૈયારી, વિહિપે દીવો પ્રગટાવવાની કરી અપીલ

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી)એ 5 ઓગસ્ટે અયોધ્યા અને રાજ્યભરમાં દિવાળી જેવા સમારંભની યોજના બનાવી છે.

|
Google Oneindia Gujarati News

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી)એ 5 ઓગસ્ટે અયોધ્યા અને રાજ્યભરમાં દિવાળી જેવા સમારંભની યોજના બનાવી છે. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરની ભૂમિ પૂજનમાં શામેલ હશે. વિશ્વ હિંદુ પરિષદે સૂર્યાસ્ત બાદ ઘરો, મહોલ્લા, ગામ, બજાર, મઠ-મંદિરો અને આશ્રમોને દીવાથી સજાવવાની અપીલ કરી છે. અયોધ્યામાં સંતોએ સ્થાનિક લોકોને આ દિવસે દિવાળી મનાવીને ભૂમિપૂજન કરવાનુ આહ્વાન કર્યુ છે.

ayodhya

અયોધ્યામાં બધા મંદિરોને સાંજે માટીના દીવાથી સજાવ્યુ અને સજાવવામાં આવશે. અયોધ્યામાં ભૂમિપૂજનના દિવસે બધા મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવશે. બાકી રાજ્ય માટે, વિહિપે લોકોને પોતાના ઘરોના પ્રવેશ દ્વાર પર માટીના દીવા પ્રગટાવવા માટે કહ્યુ છે. જે દિવસે પીએમ મોદી અયોધ્યામાં રામ મંદિરની આધારશિલા રાખશે. ક્ષેત્રીય પ્રવકતા શર્માએ કહ્યુ કે વિહિપ અયોધ્યામાં દિવાળી સમારંભ ઉપરાંત રાજ્યભરના બધા પ્રમુખ મંદિરોમાં વિહિપ એ સુનિશ્ચિત કરશે કે 5 ઓગસ્ટે સાંજે વિશેષ પૂજા(આરતી) કરવામાં આવશે.

વિહિપ દર વર્ષે રક્ષાબંધનના તહેવારના પ્રસંગે પોતાની સ્થાપના દિવસે મનાવે છે, જે આ વર્ષે 3 ઓગસ્ટે પડી રહ્યુ છે. રામ મંદિરના સ્થાપના દિવસ અને ભૂમિપૂજન માટે વિહિપે 9 ઓગસ્ટે રાજ્યભરમાં આઠ દિવસીય સમારંભની યોજના બનાવી છે. શર્માએ કહ્યુ કે રાજ્યભરના ગામોમાં રામ મંદિરના ભૂમિપૂજન માટે નાના-નાના સમારંભ આયોજિત કરવામાં આવશે. ગ્રામીણો વચ્ચે વિતરણ માટે વિશેષ બ્રોશર તૈયાર કરવામાં આવ્યા છે. વિશ્વ હિંદુ પરિષદે રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ભૂમિ પૂજન દરમિયાન દેશભરની પવિત્ર નદીઓનુ જળ અને તીર્થોની માટીનો ઉપયોગ થશે. તેમણે કહ્યુ છે કે પાંચ ઓગસ્ટે બધા સંત-મહાત્મા પોત પોતાના મઠ-મંદિરો, આશ્રમોમાં અને દેશ-વિદેશોમાં વસેલા બધા રામભક્ત પોતાના ઘરો કે પાસેના મંદિરોમાં સામૂહિક બેસીને સવારે સાડા દસ વાગ્યાથી પોતાના બે આરાધ્ય દેવનુ ભજન-પૂજન કીર્તન કરે. આરતી કરો અને પ્રસાદ વહેંચો.

ઉત્તર-મધ્ય ભારતમાં ચોમાસા માટે ખરાબ સમાચાર, અમેરિકી એજન્સીનો દાવોઉત્તર-મધ્ય ભારતમાં ચોમાસા માટે ખરાબ સમાચાર, અમેરિકી એજન્સીનો દાવો

English summary
VHP plans Diwali like celebrations for Ram temple August 5event in Ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X