મધ્ય પ્રદેશઃ વિજય દિવસ પર સન્માનિત થશે 1971ના યુદ્ધમાં સામેલ થનાર સૈનિક
મધ્ય પ્રદેશઃ વિજય દિવસ પર સન્માનિત થશે 1971ના યુદ્ધમાં સામેલ થનાર સૈનિક
ભોપાલઃ 16 ડિસેમ્બર1971ના રોજ પાકિસ્તાન સામે થયેલા યુદ્ધમાં ભારતીય જવાનોએ પોતાની તાકાત દેખાડીને પાકિસ્તાનને ઘુંટણીયે પાડ્યું હતું. દેશના હજારો સપુતોએ પોતાનો દમ દેખાડી જુસ્સાભેર લડ્યા હતા અને કેટલાય જવાનોએ દેશ માટે બલિદાન આપ્યું હતું. ત્યારે 16 ડિસેમ્બર 2019ના રોજ આ જવાનોને યાદ કરવા આપણી નૈતિક જ નહિ સામાજિક જાબદારી પણ બને. ત્યારે મધ્ય પ્રદેશમાં 1971ના યુદ્ધમાં સામેલ થયેલા જવાનોને સન્માનિત કરવામાં આવશે. આ અવસર પર મુખ્યમંત્રી એક સંદેશ પણ મોકલશે તેવા અહેવાલ મળ્યા છે.

16 ડિસેમ્બરના રોજ વિજય દિવસના રૂપમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ અવસર પર 1971ના યુદ્ધમાં સામેલ રહેલા સૈનિકો અને તેમના પરિજનોને સન્માનિત કરવામાં આવશે. કેટલીય પ્રતિયોગી યોજવામાં આવશે તથા જિલ્લા સ્તરે કાર્યક્રમ આયોજિત કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
શહીદોના પરિજનો તથા યુદ્ધમાં ભાગ લેનાર સૈનિકોનું સન્માન કરવાની યોજના બનાવવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના સીએમના સંદેશનું વાચન થશે. 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય સેનાએ વિજયના સંબંધમાં નવી પેઢીને અવગત કરાવવા માટે તમામ પ્રાથિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયોમાં વિજય દિવસ કાર્યક્રમ આયોજિત થશે.












Click it and Unblock the Notifications
