વિજય માલ્યાને અવમાનના કેસમાં જલ્દી થઈ શકે છે સજા, SCએ કહ્યું- 4 વર્ષથી પેન્ડિંગ છે કેસ
કોર્ટના અવમાનના કેસમાં વર્ષ 2017માં દોષિત જાહેર થયેલા વિજય માલ્યાને હવે ટૂંક સમયમાં સજા થઈ શકે છે.
નવી દિલ્હી : કોર્ટના અવમાનના કેસમાં વર્ષ 2017માં દોષિત જાહેર થયેલા વિજય માલ્યાને હવે ટૂંક સમયમાં સજા થઈ શકે છે. આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ (30 નવેમ્બર) કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી માત્ર સજાનો કેસ પેન્ડિંગ છે, 2017થી તેને સ્થગિત કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે અમે આ કેસને ગંભીરતાથી લઈશું.

જ્યારે વિજય માલ્યા ભારત આવે, ત્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે
વર્ષ 2017માં ભાગેડુ વિજય માલ્યા કોર્ટના અવમાનના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. આવા સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, માલ્યાની સજા પર નિર્ણય પ્રત્યાર્પણ બાદ લેવામાં આવશે. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, જ્યારે વિજય માલ્યા ભારત આવે, ત્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે. ત્યારથી કેસ આ રીતે અટકી ગયો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટ હવે આ કેસમાં ફરી ધ્યાન આપી રહી છે.
છેલ્લા ચાર વર્ષથી માત્ર સજાનો કેસ પેન્ડિંગ છે
સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે, વિજય માલ્યા પર છે કે તે કોર્ટમાં વ્યક્તિગત રૂપે હાજર રહે છે કે તેમના વકીલ દ્વારા કોર્ટમાં દલીલો રજૂ કરે છે પરંતુ, આ બાબતને પ્રકાશમાં જોવાની જરૂર છે. કારણ કે, તે 2017 થી સ્થગિત કરવામાં આવી છે, જ્યારે તે અવમાનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી માત્ર સજાનો કેસ પેન્ડિંગ છે.
નોંધનીય છે કે, કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા બેંકોની લોનના કારણે ડિફોલ્ટર બની ગયા હતા. ત્યારથી તે ભારતમાં નથી. વર્ષ 2017માં અવમાનના કેસની સુનાવણી દરમિયાન વિજય માલ્યા સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કોર્ટમાં હાજર થયા ન હતા.
સુપ્રીમ કોર્ટે એ નક્કી કરવાનું છે કે, વિજય માલ્યાને અવમાનના કેસમાં શું સજા આપવી જોઈએ
આ જ સુનાવણી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય વતી કોઈ વકીલ કોર્ટમાં હાજર થયો ન હતો. 9 મે, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અવમાનનો દોષી ઠેરવ્યો હતો. વિજય માલ્યાએ કોર્ટને સંપત્તિની સંપૂર્ણ વિગતો આપી ન હતી. કોર્ટે વિજય માલ્યાને 10 જુલાઈ, 2017ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો, પરંતુ માલ્યા હાજર થયા ન હતા. હવે સુપ્રીમ કોર્ટે એ નક્કી કરવાનું છે કે, વિજય માલ્યાને અવમાનના કેસમાં શું સજા આપવી જોઈએ.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
