હાર્દિક પટેલનો દાવો રૂપાણી આપશે રાજીનામુ, સીએમે કહ્યું બકવાસ
પાટીદાર નેતા હાર્દિક પટેલ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ હાર્દિક પટેલે એવો દાવો કર્યો છે કે 10 દિવસમાં કોઈ પાટીદાર નેતા મુખ્યમંત્રી બનશે. હાર્દિક પટેલ ઘ્વારા કરવામાં આવેલા દાવાને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઘ્વારા એક અફવાહ બતાવવામાં આવી રહી છે. તેમને કહ્યું કે હાર્દિક પટેલ પબ્લિસિટી માટે આવું કરી રહ્યો છે.
સીએમ વિજય રૂપાણી ઘ્વારા હાર્દિક પટેલને કોંગ્રેસ એજેન્ટ ગણાવવામાં આવ્યો છે. તેમને જણાવ્યું કે હાર્દિક પટેલ મીડિયામાં ચમકવા માટે આવી અફવાહો ફેલાવી રહ્યો છે. વિજય રૂપાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આવનારા 5 વર્ષ સુધી સીએમ રહેશે. તેમને જણાવ્યું કે હાર્દિક પટેલને એટલું પણ ખબર નથી કે મુખ્યમંત્રી પોતાનું રાજીનામુ રાજ્યપાલને આપે છે, કેબિનેટને નહીં.
જયારે બીજી બાજુ હાર્દિક પટેલ ઘ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે 10 દિવસની અંદર ગુજરાતમાં એક પાટીદાર સીએમ બનશે. તેમને બે દાવેદારોને સામે કર્યા છે. જેમાં એક વટવા સીટથી વિધાયક પ્રદિપ સિંહ જાડેજા અને બીજા બીજેપીમાં પૂર્વ સંગઠન મંત્રી ભીકુ ભાઈ તલસાણીયા છે.