વિશાખાપટ્ટનમ ગેસ લીક: પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં પરિસ્થિતિ વિશે લીધી માહિતી
ગુરુવારે વહેલી તકે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેમિકલ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ નીકળવાની ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, વડા પ્રધ
ગુરુવારે વહેલી તકે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેમિકલ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ નીકળવાની ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, વડા પ્રધાને આજે સવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતામાં અકસ્માત બાદ લેવામાં આવતા પગલાઓનો હિસાબ લીધો હતો. તેમણે અસરગ્રસ્ત લોકોની સલામતી તેમજ આપત્તિથી પ્રભાવિત સ્થળને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવતા પગલાઓની ચર્ચા કરી હતી.
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. જેમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને આ અકસ્માતને લગતી માહિતી આપી હતી. વડા પ્રધાને આ અગાઉ રાજ્યના સીએમ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી હતી અને તમામ શક્ય મદદ કરી હતી.
નરેન્દ્ર મોદીએ આ ઘટનામાં અસરગ્રસ્તોને ટ્વીટ કરીને લખ્યું છે કે, મેં વિશાખાપટ્ટનમની પરિસ્થિતિ વિશે એમએચએ અને એનડીએમએના અધિકારીઓ સાથે વાત કરી છે, જેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હું વિશાખાપટ્ટનમના લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.
આ પણ વાંચો: વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાનુ કામ આજથી શરૂ, તૈયાર કરાયા ક્વૉરંટીન સેન્ટર