વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાનુ કામ આજથી શરૂ, તૈયાર કરાયા ક્વૉરંટીન સેન્ટર
કોરોના વાયરસના ફેલાવ અને લૉકડાઉન લાગુ થયા બાદ વિદેશમં ફસાયેલા ભારતીય નાગરિકોના વતન વાપસીની પ્રક્રિયા આજથી(7 મે) તબક્કાવાર રીતે શરૂ થઈ રહી છે.
કોરોના વાયરસના ફેલાવ અને લૉકડાઉન લાગુ થયા બાદ વિદેશમં ફસાયેલા ભારતીય નાગરિકોના વતન વાપસીની પ્રક્રિયા આજથી(7 મે) તબક્કાવાર રીતે શરૂ થઈ રહી છે. સંરક્ષણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે લોકો વિદેશથી પાછા આવશે તેમને નિયમ અનુસાર ક્વૉરંટીનની પ્રક્રિયા પૂરી કરવી પડશે. ક્વૉરંટીન સેન્ટર એરફોર્સ, આર્મી અને નેવીએ તૈયાર કર્યા છે. ક્વૉરંટીન પૂરુ થયા બાદ આ લોકો પોતાના ઘરો માટે આગળની યાત્રા કરી શકશે.

સંરક્ષણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે સઉદી અરબ, કુવૈત, સંયુક્ત અરબ અમીરાત, બહેરીન અને મલેશિયામાં ફસાયેલા લોકો માટે સેના, વાયુસેના અને નૌકાદળે જોધપુર, જેસલમેર, ભોપાલ, કોચ્ચિ, વિશાખાપટ્ટનમ અને ચેન્નઈમાં ક્વૉરંટીન સેન્ટર બનાવ્યા છે જ્યાં આ લોકોને રાખવાાં આવે. નૌકાદળ સૈનિક જહાજોમાં પણ વિદેશમાં ફસાયેલા લોકોને લાવવામાં આવી રહ્યા છે. આ અંગે સંરક્ષણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય સશસ્ત્ર બળોએ ઘણા દેશો માટે ચિકિત્સા ટીમો અને સહાયતા આપૂર્તિ સાથે નૌકાદળના જહાજોને મોકલ્યા છે. વાપસીમાં આ જહાજોમાં ત્યાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવશે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે માત્ર એ લોકોને પાછા આવવાની અનુમતિ આપવામાં આવશે જેમાં કોવિડ-19ના લક્ષણ નથી. ઉડાન પહેલા યાત્રીઓની મેડીકલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જે ભારતીયોમાં ખાંસી, તાવ કે શરદીના લક્ષણો મળશે તેમને યાત્રાની અનુમતિ આપવામાં આવશે નહિ. વિમાન અને યુદ્ધપોતથી યાત્રાની વ્યવસ્થા કરવામાં આવશે અને આનો ખર્ચ યાત્રીઓએ ઉઠાવવો પડશે.
મંત્રાલયે કહ્યુ કે ભારત આવ્યા બાદ બધા યાત્રીઓની ચિકિત્સા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને 14 દિવસ માટે ક્વૉરંટીન સેન્ટરમાં રાખવામાં આવશે. ભારતીય દૂતાવાસ અને ઉચ્ચાયોગ વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની એક યાદી તૈયાર કરી રહ્યુ છે. આ સુવિધા ચૂકવણીના આધાર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ લૉકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય નાગરિક વિદેશમાં ફસાયેલા છે. જેમને વિશેષ વિમાનોથી પાછા લાવવામાં આવી રહ્યા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
