શરદ યાદવે કહ્યું 'દીકરી કરતા વોટની ઇજ્જત વધારે'

તેમણે જણાવ્યું કે રાણી લક્ષ્મી બાઇ, તાત્યા તોપેનો શહાદત દિવસ આખા દિવસમાં મનાવવામાં આવે છે. ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદ પણ શહીદ છે. તેમના પ્રત્યે અમારા દિલમાં સન્માન છે.
રાજા શંકર શાહ અને રઘુનાથ શાહને અંગ્રેજોએ તોપમાં નાખીને ઉડાવી દીધા હતા, તેઓ આદિવાસી હતા એટલા માટે તેમની શહાદતને એ સ્થાન નથી મળ્યું જેના તેઓ હકદાર હતા. દેશમાં નવ કરોડથી વધારે આદિવાસી છે, જે દેશમાં કોઇપણ સમુદાય કરતા વધારે છે.
આ ઉપરાંત પણ દેશને હજી સુધી આદિવાસી પ્રધાનમંત્રી નથી મળ્યો. તેમણે જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં ખનિજ સંપદાનો ભંડાર છે. દેશમાં 81 પ્રકારની ખનિજ સંપદા છે. જે આદિવાસીઓને પગ નીચે છે.
આ ઉપરાંત પણ આદિવાસીઓની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે. દેશમાં જળ, જંગલ, જમીનની લૂંટ મચેલી છે. ખનીજ પદાર્થોને વિદેશ મોકલવામાં આવે છે. દેશમાં મજદૂર, દલિત, પછાત વર્ગના હિતો માટે અવાજ ઉઠાવવામાં આવે છે પરંતુ આદિવાસીઓના હિતોમાં અવાજ બુલંદ નથી થતી.












Click it and Unblock the Notifications
