For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠંડીમાં ફરીથી વધશે કોરોના વાયરસનો પ્રકોપ, એઈમ્સના ડાયરેક્ટરે આપ્યુ મોટુ નિવેદન

કોરોના વાયરસના પ્રકોપનો બીજો દોર ઠંડીમાં જોવા મળવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19) મહામારી સામે લડી રહી છે. દુનિયાભરમાં આના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાથી 33 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. વળી, અત્યાર સુધી બે લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના કેસ વધીને 46433 થઈ ગયા છે તેમજ 12726 લોકો રિકવર પણ થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 1568 લોકોના જીવ ગયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. 3900 નવા કેસ અને 195 લોકોના મોત એક દિવસમાં થયા છે. કોરોના વિશે ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સ(એઈમ્સ) દિલ્લીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોનાની અસર લાંબા સમય સુધી રહેવાની છે અને જે સ્થિતિ છે તે હિસાબે એમ કહી શકાય છે કે જલ્દી આનાથી મુક્તિ નહિ મળે.

coronavirus

ઠંડીમાં ફરીથી વધશે કોરોનાનો પ્રકોપ

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર ગુલેરિયાએ કહ્યુ કે કોરોના વાયરસના પ્રકોપનો બીજો દોર ઠંડીમાં જોવા મળવાની સંભાવના છે. તેમણે કહ્યુ કે આપણે આ મહામારીને લાંબા સમય સુધી જોવી જોઈએ કે જે એક વર્ષથી વધુ પણ હોઈ શકે છે એટલા માટે આની સામે લડવા માટે દેશના અલગ અલગ ભાગો માટે અલગ અલગ રણનીતી બનાવવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ડૉ. ગુલેરિયા એ ટીમનો હિસ્સો છે જે કોરોના મહામારી સામે લડવાની રણનીતિ બનાવવા માટે રચવામાં આવેલી છે. ડૉ. ગુલેરિયાએ કહ્યુ કે સરકારે વાયરસને અટકાવવા માટે અને આર્થિક ગતિવિધિઓ વચ્ચે એક સંતુલન બનાવવાની જરૂર છે અને ઘણા રિસર્ચ પર કામ કરવાની જરૂર છે. આમાંથી એક પ્લાઝમા થેરેપી છે પરંતુ આના પરિણામ આવવામાં બે-ત્રણ મહિના લાગી શકે છે.

આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થવાની

તમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકાના રોગ કેન્દ્રના નિર્દેશક નિયંત્રણ અને રોકથામ (સીડીસી)હૉબર્ટ રેડફીલ્ડે કહ્યુ હતુ કે અમેરિકા માટે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થવાની છે. તેમણે કહ્યુ કે સંયુક્ત રાજ્ય અમેરિકામાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ ખરાબ હશે કારણકે ફ્લુની ઋતુ શરૂ થવાની સંભાવના છે. ઉ્લ્લેખનીય છે કે ભારતમાં કોરોના સંક્રમણના કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં આ મહામારીથી પીડિતોની સંખ્યા 12974 છે જ્યારે કુલ મોત 548 છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના 5428 કેસ છે અને 290 લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્લીમાં 4549, મધ્ય પ્રદેશમાં 2846, રાજસ્થાનમાં 2886 અને તમિલનાડુમાં 3023 કેસ સામે આવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 46 હજારને પાર, અત્યાર સુધી 1568ના મોતઆ પણ વાંચોઃ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 46 હજારને પાર, અત્યાર સુધી 1568ના મોત

English summary
We may see a second spike in Covid-19 cases in winter, says AIIMS Director Dr Guleria
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X