ત્રણેય રાજ્યોમાં પહેલાથી વધુ સીટ આવશેઃ અમિત શાહ
ત્રણેય રાજ્યોમાં પહેલાથી વધુ સીટ આવશેઃ અમિત શાહ
આજતકના એક કાર્યક્રમમાં વાત કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પર પોતાનું મંતવ્ય જણાવ્યું. એમણે કહ્યું કે ભાજપ ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે, મેં બધા રાજ્યોનો પ્રવાસ કર્યો. કાર્યકર્તાઓમાં જોશ છે અને અમે જીતીને દેખાડીશું. મુખ્યમંત્રીઓ સાથે મતભેદ અને ટકરાવના સવાલ પર તેમણે કહ્યું કે આ મીડિયાએ બનાવેલી વાત છે. વસુંધરા રાજે ક્યારેય પાર્ટીના આદેશો વિરુદ્ધ બોલ્યાં.

રાજ્યોમાં બદલાવ જોવા મળ્યો
આ સમય બદલાવનો છે. દેશના કેટલાય રાજ્યોમાં બદલાવ જોવા મળ્યો છે. પછી તે ઉત્તર પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય કે પછી આસામ જ કેમ ન હોય. તમામ જગ્યાએ ભાજપ આવી છે. સર્વેમાં રાજસ્થાનમાં સત્તા ગુમાવવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે રાજસ્થાનમાં અમે જીતશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 50 લાખ પરિવારના લોકોને કંઈકને કંઈક આપ્યું છે. એમનું જીવન સ્તર બદલાયું છે. અમે દરેક પરિવાર સાથે સંપર્ક કર્યો છે.

કરતારપુર જશો?
કરતારપુર જવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે ભાગલા સમયે કરતારપુર સાહેબને છોડી દીધા હતા. માત્ર ચાર કિમી દૂર હોવા છતાં કોંગ્રેસ એના માટે રસ્તો નહોતી ખોલી શકી. કોંગ્રેસ ઉંઘતી રહી. એક ગામને ભારતમાં સામેલ ન કરી શકી. સિખ શ્રદ્ધાળુ કરતારપુર સાહેબને પૂજે છે. પરંતુ કોંગ્રેસે એ વાત ક્યારેય ન સમજી. માટે અમે પાકિસ્તાન સાથે વાત કરી કરતારપુર સાહેબ માટે રસ્તો ખોલ્યો. અમે માત્ર રાજનીતિ નથી કરી રહ્યા. ભાજપની કરતારપુર સાહિબ પ્રત્યે શ્રદ્ધા છે. હું પણ ત્યાં જઈશ.

જાણો શું કહ્યું
ભારત-પાકિસ્તાન વચ્ચે કરતારપુર સાહેબ કોરિડોર ઑફ પીસના રૂપને રાખવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે જો પાકિસ્તાનમાં આર્મી અને સરકાર સાથે છે તો ક્યારેય શાંતિ થઈ જ ન શકે. પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે તો તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું પડશે. જો આવું થશે તો આપોઆપ શાંતિ થશે.

સિદ્ધુ ખોટી જગ્યાએ ઉભા
નવજોત સિંહ સિદ્ધુને લઈને ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યુ્ં કે સિદ્ધુને ખબર જ નથી કે તેઓ ક્યાં ઉભા છે. માટે તેઓ રાહુલ ગાંધી સાથે ચાલ્યા ગયા. આ જ કારણ છે કે તેમની સાથે ખાલિસ્તાન આતંકી ઉભો હતો. અમે કરતારપુર સાહેબ કોરિડોર ખોલાવવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન પાસે નહોતા ગયા. સિદ્ધુ ત્યાં ગયા હતા. પરિણામ શપથ વિધિમાં જવાથી નથી આવતાં.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ






Click it and Unblock the Notifications
