પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને લેફ્ટનું ગઠનબંધન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને લેફ્ટનું ગઠનબંધન
West Bengal Assembly Elections 2021: પશ્ચિમ બંગાળમાં આગલા વર્ષે વિધાનસભા ચૂંટણી થનાર છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસ તરફથી લેફ્ટ સાથે ગઠબંધનને લઈ જબરું એલાન કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના મુખિયા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આજે કોંગ્રેસના હાઈ કમાન્ડે સત્તાવાર રૂપે પશ્ચિમ બંગાળમાં લેફ્ટ દળો સાથે ગઠબંધનને સ્વિકૃતિ આપી દીધી છે. જણાવી દઈએ કે આગામી વર્ષે પશ્ચિમ બંગાળ ઉપરાંત તમિલનાડુ, કેરળ, આસામ અને પોંડીચેરીમાં ચૂંટણી થનાર છે. ચૂંટણી પહેલાં સેંટ્રલ કમિટી ઑફ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયાએ ઑક્ટોબર મહિનામાં જ પશ્ચિમ બંગાળમાં સેક્યુલર દળ સાથે ગઠબંધનને મંજૂરી આપી દીધી છે. જેમાં કોંગ્રેસ પાર્ટી પણ સામેલ હતી.

સીપીઆઈએમે પણ સેંટ્રલ કમિટીના ફેસલા સાથે જોવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 2016ની ચૂંટણીમાં સેંટ્રલ કમિટીએ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ બાદમાં ચૂંટણીમાં કોંગ્રેસે 44 સીટ પર જીત નોંધાવી હતી જ્યારે લેફ્ટ પાર્ટીઓએ 32 સીટો પર જીત નોંધાવી હતી, જે બાદ લેફ્ટ દળોએ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ફેસલો લીધો. મહત્વની વાત એ છે કે આ વખતે ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસી, લેફ્ટ દળ અને કોંગ્રેસ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી સૌતી મહત્વના વિપક્ષ તરીકે સામે આવ્યા છે. આ હિસાબે હવે બંગાળમાં ચૂંટણી ત્રિકોણીય થનાર છે.
અગાઉ અધીર રંજને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર નિશાન સાધતાં કહ્યું હતું કે પ્રદેશમાં ભાજપની એન્ટ્રી ટીએમસીએ કરાવી હતી. બંગાળમાં ભાજપ માટે ટીએમસીએ જ દરવાજા ખોલ્યા હતા. 1999માં ભાજપ-ટીએમસીના ગઠબંધનનો ઉલ્લેખ કરતાં અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસે તે સમયે મમતા બેનરજીને ભાજપપને લઈ ચેતવણી આપી હતી. અધીર રંજને કહ્યું કે બંગાળમાં ભાજપની એન્ટ્રી કરાવવા માટે મમતા બેનરજીએ પ્રદેશના લોકો પાસે માફી માંગવી જોઈએ.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
