કેજરીવાલ અચાનક મોદીની ચિંતા કેમ કરવા લાગ્યાં?

અરવિંદ કેજરીવાલે શનિવારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમને સંબોધિત કરી હતી. આ તે જ આંતરરાષ્ટ્રીય ફોરમ છે જેને થોડા દિવસો પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાષણ આપવા માટે બોલાવ્યા હતા પરંતુ પછી કેટલાક પ્રોફેસરો અને વિદ્યાર્થીના વિરોધના કારણે આમંત્રણ પાછું ખેંચી લીધું હતું.
આમ તો અરવિંદ કેજરીવાલને તેમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને આમ આદમી પાર્ટી વિશે બોલવા માટે બોલાવ્યા હતા, પરંતુ તેમને અસલી મુદ્દા પર આવતાં પહેલાં નરેન્દ્ર મોદીનું આમંત્રણ પાછું ખેંચવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અરવિંદ કેજરીવાલે એ પણ સ્પષ્ટ કરી દિધું હતું કે તે નરેન્દ્ર મોદીના સમર્થક ન હોવા છતાં તેમનું આમંત્રણ પાછું ખેંચવાને ખોટું ગણાવ્યું હતું.
નરેન્દ્ર મોદીના મુદ્દે પોતાની વાત મુક્યા બાદ અરવિંદ કેજરીવાલે ભારતમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને કહ્યું હતું કે આ ભ્રષ્ટાચારના મૂળને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટી બનાવી રાજકારણના મેદાનમાં ઉતર્યા છે, અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે તેમને તેમના સાથીઓએ પોતાના આદર્શો પર ચાલવા માટે પોતાની પર્સનલ લાઇફમાં ભારે કિંમત ચુકવવી પડી રહી છે.












Click it and Unblock the Notifications
