કોણ હોય છે દેવદાસી? ભારતીય પુરાણોમાં મળે છે ઉલ્લેખ
દેવદાસી શબ્દ ભારતીય સમાજોમાં ઘણી વખત સંભળાતો શબ્દ છે. જો કે ખરેખર દેવદાસી શું છે તેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા.
દેવદાસી શબ્દ સાંભળીને તમને લાગતુ હશે કે તેનો અર્થ દેવતાઓની દાસી છે. આ પરંપરા હજારો વર્ષ જૂની છે, જેનું સ્વરૂપ સમયાંતરે બદલાતું રહે છે, પરંતુ આ પરંપરા એક દુષણ છે.

કોણ છે દેવદાસી?
દેવદાસી એક એવી પ્રથા હતી જેમાં લોકો તેમની ઈચ્છા કે માન્યતા પ્રમાણે તેમની નાની છોકરીઓને મંદિરોમાં દાન કરતા હતા. તેમનો હેતુ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવાનો હતો અને કન્યાઓને મંદિરની સેવા માટે દાનમાં આપવામાં આવતી હતી.
માતા-પિતા તેમની પુત્રીના લગ્ન મંદિર કે દેવતા સાથે કરાવતા હતા. જ્યારે કોઈ સ્ત્રી દેવતા સાથે લગ્ન કરે ત્યારે તે દેવદાસી કહેવાતી હતી. દલિત અથવા આદિવાસી મહિલાઓ મોટાભાગે આ પ્રથાનો ભોગ બનતી હતી, જેના માટે કોઈ નિશ્ચિત વય ન હતી, પાંચ કે દસ વર્ષની છોકરીઓને પણ દેવદાસી બનાવવામાં આવતી હતી.
પુરાણોમાં ઉલ્લેખ મળે છે
ઈતિહાસકારોના મતે દેવદાસી પ્રથાની શરૂઆત છઠ્ઠી સદીમાં થઈ હતી. સ્વતંત્રતા પછી ભારત સરકારે આ પ્રથા પર પ્રતિબંધ મૂક્યો. જો કે, હવે પણ દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાં દેવદાસી પરંપરા જોવા મળે છે. કહેવાય છે કે પદ્મ પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં પણ દેવદાસી પ્રથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જૂના સમયમાં દેવદાસીઓનું ખૂબ મહત્વ હતું અને તેઓને સન્માનની નજરે જોવામાં આવતી હતી. તે સમયે દેવદાસીઓ બે પ્રકારની હતી, એક જે મંદિરોમાં સેવા કરતી અને બીજી જેઓ નૃત્ય કરતી.
ધીરે ધીરે કુરીતિમાં ફેરવાઈ ગઈ
દેવદાસી ધીરે ધીરે કુરીતિમાં પરિવર્તિત થઈ ગઈ. શરૂઆતમાં કુંવારી છોકરીઓના લગ્ન દેવતાઓ સાથે કરવામાં આવતા હતા. આવી સ્થિતિમાં દરેક મંદિરમાં દેવદાસીઓ માટે પૂજારીની પણ નિમણૂક કરવામાં આવી હતી.
એવું કહેવાય છે કે તે પૂજારીઓ દેવદાસીઓને દેવતાઓ સાથે જોડવાના નામે શારીરિક સંબંધ બાંધતા હતા. ધીરે ધીરે શ્રીમંત લોકો પણ દેવદાસીઓનું શોષણ કરવા લાગ્યા અને પછી જ્યારે તેઓ ગર્ભવતી થઈ ત્યારે તેમને છોડી દેવામાં આવી. જેના કારણે આ પ્રથા દુષ્કૃત્યમાં ફેરવાઈ ગઈ.












Click it and Unblock the Notifications
