કોણ હોય છે દેવદાસી? ભારતીય પુરાણોમાં મળે છે ઉલ્લેખ
દેવદાસી શબ્દ ભારતીય સમાજોમાં ઘણી વખત સંભળાતો શબ્દ છે. જો કે ખરેખર દેવદાસી શું છે તેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા.
દેવદાસી શબ્દ સાંભળીને તમને લાગતુ હશે કે તેનો અર્થ દેવતાઓની દાસી છે. આ પરંપરા હજારો વર્ષ જૂની છે, જેનું સ્વરૂપ સમયાંતરે બદલાતું રહે છે, પરંતુ આ પરંપરા એક દુષણ છે.

કોણ છે દેવદાસી?
દેવદાસી એક એવી પ્રથા હતી જેમાં લોકો તેમની ઈચ્છા કે માન્યતા પ્રમાણે તેમની નાની છોકરીઓને મંદિરોમાં દાન કરતા હતા. તેમનો હેતુ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવાનો હતો અને કન્યાઓને મંદિરની સેવા માટે દાનમાં આપવામાં આવતી હતી.
માતા-પિતા તેમની પુત્રીના લગ્ન મંદિર કે દેવતા સાથે કરાવતા હતા. જ્યારે કોઈ સ્ત્રી દેવતા સાથે લગ્ન કરે ત્યારે તે દેવદાસી કહેવાતી હતી. દલિત અથવા આદિવાસી મહિલાઓ મોટાભાગે આ પ્રથાનો ભોગ બનતી હતી, જેના માટે કોઈ નિશ્ચિત વય ન હતી, પાંચ કે દસ વર્ષની છોકરીઓને પણ દેવદાસી બનાવવામાં આવતી હતી.
પુરાણોમાં ઉલ્લેખ મળે છે
ઈતિહાસકારોના મતે દેવદાસી પ્રથાની શરૂઆત છઠ્ઠી સદીમાં થઈ હતી. સ્વતંત્રતા પછી ભારત સરકારે આ પ્રથા પર પ્રતિબંધ મૂક્યો. જો કે, હવે પણ દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાં દેવદાસી પરંપરા જોવા મળે છે. કહેવાય છે કે પદ્મ પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં પણ દેવદાસી પ્રથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જૂના સમયમાં દેવદાસીઓનું ખૂબ મહત્વ હતું અને તેઓને સન્માનની નજરે જોવામાં આવતી હતી. તે સમયે દેવદાસીઓ બે પ્રકારની હતી, એક જે મંદિરોમાં સેવા કરતી અને બીજી જેઓ નૃત્ય કરતી.
ધીરે ધીરે કુરીતિમાં ફેરવાઈ ગઈ
દેવદાસી ધીરે ધીરે કુરીતિમાં પરિવર્તિત થઈ ગઈ. શરૂઆતમાં કુંવારી છોકરીઓના લગ્ન દેવતાઓ સાથે કરવામાં આવતા હતા. આવી સ્થિતિમાં દરેક મંદિરમાં દેવદાસીઓ માટે પૂજારીની પણ નિમણૂક કરવામાં આવી હતી.
એવું કહેવાય છે કે તે પૂજારીઓ દેવદાસીઓને દેવતાઓ સાથે જોડવાના નામે શારીરિક સંબંધ બાંધતા હતા. ધીરે ધીરે શ્રીમંત લોકો પણ દેવદાસીઓનું શોષણ કરવા લાગ્યા અને પછી જ્યારે તેઓ ગર્ભવતી થઈ ત્યારે તેમને છોડી દેવામાં આવી. જેના કારણે આ પ્રથા દુષ્કૃત્યમાં ફેરવાઈ ગઈ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
