કોણે રજૂ કર્યું હતું પહેલું રેલવે બજેટ?
દેશના રેલવે બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. આખો દેશ એ જાણવા માટે આતુર છે કે આખરે રેલવે મંત્રી પવન બંસલની એક્સપ્રેસ શું-શુ સૌગાતો લઇને આવી રહી છે. જરા વિચારો ત્યારે શું થયું હશે, જ્યારે દેશનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હશે. ના ટ્વિટર, ના ફેસબુક, ના ટીવી અને ના ઇન્ટરનેટ. માત્ર રેડિયો અને તેના પર પણ લાઇવ ટેલીકાસ્ટ નહીં. વાત એ જમાનાની આવી જ ગઇ છે, તો અમે તમને રેલવે બજેટ સાથે જોડાયેલા કેટલાક તથ્યો સાથે રૂબરૂ કરાવીએ છીએ.
તમને જણાવી દઇએ કે જોન મથાઇ જ 1955માં સ્થાપિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પહેલા ચેરમેન હતા. 1955થી 1957 સુધી તે મુંબઇ વિશ્વવિદ્યાલયાં વાઇસ ચાન્સેલર બન્યા અને પછી કેરળ વિશ્વવિદ્યાલયના પહેલા વાઇસ ચાન્સેલર. વધુ એક મહત્વપૂર્ણ તથ્ય જે પહેલા રેલવે મંત્રીના પરિવાર સાથે જોડાયેલો છે. તે એ છે કે તેમના પુત્ર રવિ જોન મથાઇએ ભારતીય પ્રબંધ સંસ્થાન અમદાવાદની સ્થાપના કરી અને પહેલા નિર્દેશક પણ બન્યા. જોન મથાઇને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.