Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ હશે? જાણો ટોચના નામો

ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ટૂંક સમયમાં સત્તાધારી પક્ષ એટલે કે એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.

ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ટૂંક સમયમાં સત્તાધારી પક્ષ એટલે કે એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે વિપક્ષી પાર્ટીઓ પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને મેદાનમાં ઉતારશે કે પછી એનડીએના ઉમેદવાર પર જ સર્વસંમતિ સાધશે.

ગુલામ નબી આઝાદનું નામ સામે આવ્યું

ગુલામ નબી આઝાદનું નામ સામે આવ્યું

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, પાર્ટી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામને લઈને વિરોધ પક્ષો વચ્ચે સર્વસંમતિ સાધવાનોપ્રયાસ કરશે. કોંગ્રેસના નેતાના કહેવા પ્રમાણે, ઉમેદવાર કોંગ્રેસનો હશે કે ટીએમસીનો. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ગુલામ નબી આઝાદના નામ પર પાર્ટીના પ્લેટફોર્મ પર ચર્ચા ચાલી રહી છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે, ગુલામ નબીઆઝાદના નામ પર વિપક્ષી પાર્ટીઓ વચ્ચે સર્વસંમતિ બનાવવામાં સરળતા રહેશે. કારણ કે આઝાદ લાંબા સમયથી રાજ્યસભામાં વિપક્ષનાનેતા છે અને વિપક્ષના નેતાઓ સાથે પણ તેમના સારા સંબંધો છે, પરંતુ આ નામ હજૂ ફાઈનલ થયું નથી.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મજબૂતીથી લડી શકે છે વિપક્ષ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મજબૂતીથી લડી શકે છે વિપક્ષ

જો કોંગ્રેસના નામ પર વિપક્ષી દળોમાં સહમતિ ન બને તો ટીએમસી તરફથી પણ વિપક્ષી ઉમેદવારનું નામ આવી શકે છે. જો અન્ય વિપક્ષીપાર્ટીઓ આ નામ પર સહમત થાય તો કોંગ્રેસ પાર્ટી પણ તેને સમર્થન આપી શકે છે. કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે, આવી સ્થિતિમાં વિપક્ષમજબૂતીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે એનડીએ પાસે 48.5 ટકા મત છે, જ્યારે બિન-એનડીએપક્ષોની સંખ્યા 51.5 ટકા મત છે. માત્ર યુપીએ પાર્ટીઓના વોટ લગભગ 24 થી 25 ટકા છે.

સખત લડાઈ માટે તૈયારી

સખત લડાઈ માટે તૈયારી

જો તમામ વિપક્ષી પાર્ટીઓને સાથે લેવામાં આવે તો આ પણ 47 ટકાની નજીક પહોંચી જાય છે. કોંગ્રેસ નેતાના કહેવા પ્રમાણે, બધું બીજેડીઅને વાયએસઆર કોંગ્રેસના સ્ટેન્ડ પર નિર્ભર રહેશે. કારણ કે આ બંને પક્ષોના વોટ લગભગ 4 ટકા છે.

જે જો સમગ્ર વિરોધ પક્ષો સાથે રહેતો તેઓ જીતી શકે છે અને જો તે વોટ એનડીએને જાય છે, તો તેના ઉમેદવારની જીત નિશ્ચિત છે. જોકે, કોંગ્રેસના નેતાઓને બીજેડી અનેવાયએસઆર તરફથી સમર્થનની ઓછી આશા છે. કારણ કે, આ બંને નેતાઓ તાજેતરમાં જ વડાપ્રધાનને મળ્યા છે.

હવે આવી સ્થિતિમાં કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ ઉમેદવારને મેદાનમાં ઉતારવા માગે છે, જે તેમના નામ પરઅભિપ્રાય ધરાવે છે અને શાસક પક્ષના ઉમેદવારને ટક્કર આપી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X