યુપીમાં કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? સલમાન ખુર્શીદે આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસ સમક્ષ નેતૃત્વનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે, રાજ્યમાં પક્ષનો ચહેરો કોણ હશે. સલમાન ખુર્શીદ કહે છે કે, અમે આગામી વિધાનસભાની ચૂંટણી પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વમાં લડીશું.
લખનઉ : ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને માત્ર થોડા મહિનાઓ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો તેમની ચૂંટણીની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. રાજ્યમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સત્તામાં રહેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, ત્યાં બીજી તરફ સપા અને બસપા ફરી પોતાનું રાજકીય મેદાન પરત કરવાનો પ્રયાસ કરશે, પરંતુ સૌથી મોટો પડકાર કોંગ્રેસ સામે છે.

લાંબા સમયથી રાજ્યમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ આ વખતે યુપીની ચૂંટણીમાં વધુ સારા પ્રદર્શનની આશા રાખી રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે રાજ્યની ચૂંટણી રણનીતિ વિશે મુક્તમને ચર્ચા કરી છે.
કોંગ્રેસ સમક્ષ નેતૃત્વનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે, રાજ્યમાં પક્ષનો ચહેરો કોણ હશે. સલમાન ખુર્શીદ કહે છે કે, અમે આગામી વિધાનસભાની ચૂંટણી પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વમાં લડીશું. તે રાજ્યમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. પ્રિયંકા ગાંધી મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ રાજ્યમાં એક મુખ્યમંત્રી અને ત્રણ નાયબ મુખ્યમંત્રીઓની ફોર્મ્યુલા પર કામ કરી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ રાજ્યમાં દલિત, બ્રાહ્મણ અને મુસ્લિમ મતોને એકત્ર કરવા માટે ત્રણ નાયબ મુખ્યમંત્રીઓની ફોર્મ્યુલા અપનાવી શકે છે.












Click it and Unblock the Notifications
