Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નક્સલ હુમલા પછી CRPFના વડાની નિમણૂક છે ખૂબ જ જરૂરી

હજી સુધી સરકારને નથી મળ્યા સીઆરપીએફના વડા. વિગતવાર જાણો આ અંગે...

લાંબા સમયથી કેન્દ્ર સરકાર તેના તરફથી નવા કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ ચીફ વડાની જાહેરાત કરવા મામલે ગલ્લા તલ્લા કરે છે. લાંબા સમયથી આ પદ ખાલી પડ્યું છે અને સરકાર છે કે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. વળી સીઆરપીએફ ના જવાનો પર હાલમાં જ થયેલા નક્સલ હુમલા પછી આ ભૂમિકાનું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. છેલ્લા બે મહિનાથી વધુ સમયથી આ પદ ખાલી પડ્યું છે.

crpf

ગૃહ પ્રધાન આ વાતને તેમ કહીને ટાણે છે કે ટૂંક સમયમાં તે નવા ડાયરેક્ટર જનરલની નિમણૂક કરશે. પણ સીઆરપીએફના અધિકારીઓનું કહેવું છે હજી સુધી આ અંગે કોઇ પણ અધિકૃત શરૂઆત કરવામાં નથી આવી. વડાની ગેરહાજરીમાં સીઆરપીએફના જવાના બે મોટા હુમલાનો ભોગ બન્યા છે અને 40 જવાનો આ બે હુમલામાં શહીદ થયા છે.

સીઆરપીએફના વડા તરીકે કે. દુર્ગા પ્રસાદના ગયા પછી ગૃહ મંત્રાલય દ્વારા સુદીપ લાખતકી હાલ નવા વડાનું નામ જાહેર ન થાય ત્યાં સુધી આ કારભાર સંભાળી રહ્યા છે. સરકાર આ પદ માટે કોઇ યોગ્ય ઉમેદવારની શોધમાં છે. પણ આ તમામની વચ્ચે સીઆરપીએફ માટે વડાની પોસ્ટ ખાલી હોવી નુક્શાનકારક સાબિત થઇ રહી છે. કારણકે રોજિંદુ કામ તો કામ ચલાઉ રીતે ભલે ચાલી રહ્યું પણ નિર્ણાયક નિર્ણયો અને નીતિ આ પદની નિમણૂક ન થવાના કારણે અટકીને ઊભી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X