નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવા નહી દઉં : માયાવતી
લખનઉ, 3 જાન્યુઆરી : બીએસપી સુપ્રીમો માયાવતીએ સ્પષ્ટ કહ્યું છે કે આગામી લોકસભાની ચુંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે તો તે સખત વિરોધ કરશે.
માયાવતીએ બુધવારે કહ્યું હતું કે જોકી વડાપ્રધાન પદના ઉમેદવાર કોને નક્કી કરવા તે ભાજપનો આંતરિક મુદ્દો છે, પરંતુ તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન નહી બનાવા દે. માયાવાતીએ કહ્યું હતું કે અત્યારસુધીની સુધીની નરેન્દ્ર મોદીની સરકારના કામકાજને જોયા બાદ બીએસપી તેમને ક્યારેય દેશના વડાપ્રધાન બનાવા નહી દે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સતત ત્રીજી વાર ચુંટણી જીતીને 2014માં યોજાનારી લોકસભાની ચુંટણી માટે એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાની દાવેદારી મજબૂત કરી દિધી છે.
મુસલમાનોને દગો આપી રહી છે સમાજવાદી પાર્ટી
આ અગાઉ સમાજવાદી પાર્ટી (સપા) સરકાર પર નિશાન સાધતાં માયાવતીએ કહ્યું હતું કે મુસલમાનોને વસ્તીના આધારે અનામત આપવાનું રણશિંગુ ફૂંકનાર સમાજવાદી પાર્ટી મુસ્લિમ સમાજ દગો આપવાનું કામ કરી રહી છે. માયાવતીએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીએ પોતાના ચુંટણી ઢંઢેરામાં દલિતોની જેમ મુસલમાનોને પણ વસ્તીના આધારે 18 ટકા અનામત આપવામાં આવશે પરંતુ સરકાર હજુ સુધી વાયદો પુરી શકી નથી.
માયાવતીએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીની મંશા મુસલમાનોને અનામત આપવાની નથી પરંતુ ઠાલા વચનો આપી વોટ મેળવવાનો છે. સમાજવાદી પાર્ટીના લોકો જ તેને અનામતના વાયદાની યાદ અપાવી રહ્યાં છે. તેમને કહ્યું હતું કે દિલ્હી જામા મસ્જિદના શાહી ઇમામ સૈયયદ અહેમદ ઇમામ બુખારી પણ આ વાયદોની યાદ અપાવી ચુક્યાં છે. તેમને કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના 10 મહિનાના કાર્યકાળમાં ચારેય તરફ અરાજકતા અને લૂંટનો માહોલ છવાયેલો છે.
ધ્વસ્ત થઇ ગયું છે વહિવટી તંત્ર
માયાવતીએ કહ્યું હતું અકે 'વસ્તીના આધારે દેશમાં સૌથી મોટા રાજ્યમાં સપાના 10 મહિનાનો કાર્યકાળ દરેક સ્તરે નિષ્ફળ રહ્યો છે. સરકારે હત્યા, લૂંટ અને બળાત્કારના કેસોમાં પોતાના જુના રેકોર્ડને તોડી ચૂકી છે. તેમને કહ્યું હતું કે યુપીમાં ચારેય તરફ અરાજકતાનો માહોલ છવાયેલો છે. સરકાર અને વહિવટી તંત્ર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઇ ગયું છે. રાજ્યમાં સમાજવાદી પાર્ટીના ગુંડાઓ અને માફિયાઓની બોલબાલા છે. જે પાર્ટીમાં ગુંડાઓ હોય તેની પાસે સારી રીતે સરકાર ચલાવવાની આશા કેવી રીતે કરી શકાય.