પાર્ટી કાર્યાલય માટે જમીન નહીં મળે તો ગવર્નર હાઉસ બહાર ઑફિસ ખોલશુંઃ AAP
આમ આદમી પાર્ટીના પ્રવક્તા મલવિંદર કંગે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, જ્યાં ભાજપની સરકાર નથી તેવા રાજ્યોની સરકારોને રાજ્યપાલ અને લેફ્ટિનેંટ રાજ્યપાલોના માધ્યમથી ભાજપ હેરાન કરી રહી છે.

2022માં આમ આદમી પાર્ટી પંજાબમાં 92 ધારાસભ્યો સાથે ચૂંટાઈને સત્તામાં આવી છે. જે પછી 10 એપ્રિલ 2023ના રોજ ઈલેક્શન કમિશને આમ આદમી પાર્ટીને નેશનલ પાર્ટીનો દરજ્જો પણ આપ્યો. આજે આમ આદમી પાર્ટીની સરકાર બે રાજ્યોમાં છે.
આમ આદમી પાર્ટીએ ત્રણ વાર પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસકને ચિઠ્ઠી લખી શહેરમાં ઑફિસ ખોલવા માટે જમીન માંગી. મુખ્યમંત્રી સાહિબે ખુદ રાજ્યપાલ સાહેબને આગ્રહ કર્યો.
તેમ છતાં આમ આદમી પાર્ટીની શહેરમાં ઑફિસ ખોલવા માટે જગ્યા નથી આપવામાં આવી રહી, જેનો આમ આદમી પાર્ટી સખ્ત વિરોધ કરી રહી છે. માલવિંદર સિંહ કંગે રાજ્યપાલને ચેતવણી આપી છે કે, જો હજી પણ અમને પાર્ટી ઑફિસ માટે જમીન આપવામમાં ના આવી તો આમ આદમી પાર્ટી રાજ્યપાલના ઘરની બહાર બેસીને પોતાની ઑફિસ ચલાવશે.












Click it and Unblock the Notifications
