''જો ભગત સિંહ ના હોત તો અધુરી રહેતી આઝાદીની ગાથા''
ગાંધીનગર, 23 માર્ચ: ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં શહિદે આજમ ભગત સિંહ એક એવું નામ છે જેના વિના કદાચ આઝાદીની કથા અધૂરી રહેતી. તે ફક્ત યુવાનોમાં જ નહી પરંતુ ઘરડાં અને બાળકોના પણ આદર્શ રહ્યાં હતા. લાહોર સેન્ટ્રલ જેલમાં તેમના દ્રારા લખવામાં આવેલી 400 પાનાની ડાયરી તેમના વિહંગમ વ્યક્તિત્વની વાર્તા છે. તે લેખકો, રચનાકારો, ઇતિહાસકારો અને સમાજશાસ્ત્રીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે.

ભગત સિંહને જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ચમનલાલ ક્રાંતિવીર સાથે જ વૈચારિક ક્રાંતિના પુરોધા ભી માનવામાં આવે છે. તેમનું કહેવું છે કે માત્ર 23 વર્ષની ઉંમરમાં શહીદ થનાર આ યુવાન વિના કદાચ આઝાદીની કથા અધૂરી કહેવાતી. ચમનલાલે પોતાના પુસ્તક,આં 'ક્રાંતિવીર ભગત સિંહ (અભ્યુદય અને ભવિષ્ય'માં શહીદ-એ-આઝમના વિહંગમ વ્યક્તિત્વ, કર્તવ્ય અને તેમની લોકપ્રિયતાનું વ્યાપક વર્ણન કર્યું છે.
તેમનું કહેવું છે કે જો ભગતસિંહ ના હોત તો કદાચ આજે દેશ માટે આવો કોઇ આદર્શ ના હોત, જેને વૈચારિક ક્રાંતિના દમ પર એવા શાસનના પાયા ડગમગાવી દિધા જેનું સામ્રાજ્ય દુનિયાભરમાં ફેલાયેલું હતું. તેમને જણાવ્યું હતું કે 23 માર્ચ 1993ના રોજ ભગતસિંહને ફાંસી આપ્યા બાદ ભારતનું પત્રકારત્વ જગત તેમના સંબંધિત સમાચારમાં રચ્યું પચ્યું રહેતું હતું. શહીદ-એ-આજમની જીવનકથા લખવા માટે જિતેન્દ્રનાથ સાન્યાલને ગોરાઓએ બે વર્ષની સજા સંભળાવી હતી.
ચમનલાલના અનુસાર ભગતસિંહે ક્રાંતિવીરના રૂપમાં દુનિયાના માનસપટલ પર પોતાની છાપ છોડી દિધી, તો પત્રકારના રૂપમાં તેમને પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી હતી. તેમને કહ્યું હતું કે અલીગઢના શાદીપુર ગામમાં આવેલી સ્કુલ આજે એ વાતનો પુરાવો છે કે દેશ માટે શહીદી વહોરનાર નવયુવાન એક કુશળ શિક્ષક હતો. સમાજશાસ્ત્રી સ્વર્ણ સહગલના અનુસારા ભગત સિંહ માટે ક્રાંતિનો અર્થ હિંસા નહી, પરંતુ વૈચારિક પરિવર્તન સાથે હતો. બહેરાઓને સાંભળાવવા માટે સેન્ટ્રલ એસેમ્બલીમાં ધડાકો કરી તે દુશ્મનોને તે ભાષામાં જવાબ આપનાર યોદ્ધાના રૂપમાં જોવા મળે છે. લાલા લજપત રાયના અવસાન બાદ બદલો લેવા માટે સાંડર્સને ગોળીથી ઉડાવી મારવો તેમની શૂરવીરતાનું પ્રતિક હતું.
તેમને કહ્યું હતું કે ભગત સિંહની આ ડાયરીમાં જ્યાં વૈચારિક તોફાન જોવા મળે છે તો તેમના દ્રારા લખવામાં આવેલ ગણિત અને રાજકારણના સૂત્ર તેમના વ્યક્તિત્વની વિશાળતા દર્શાવે છે. યાદવિંદરના અનુસાર તેમના દાદા દ્રારા જેલમાં કરવામાં આવેલી લાંબી ભૂખ હડતાળ તેમની દ્રઢ ઇચ્છાશક્તિનું પ્રતિક હતું. જે યુવાનોને દેશ માટે પોતાની અંદર શક્તિ પેદા કરવાની શિખામણ આપે છે.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ



Click it and Unblock the Notifications
