આમ આદમી પાર્ટીના વિધાયક પર બળાત્કારનો આરોપ લાગ્યો
રાજધાની દિલ્હીની રીઠાલા વિધાનસભા ક્ષેત્રથી આમ આદમી પાર્ટીના વિધાયક મોહિન્દર ગોયલ પર એક મહિલાએ ખુબ જ ગંભીર આરોપ લગાવ્યા છે.
રાજધાની દિલ્હીની રીઠાલા વિધાનસભા ક્ષેત્રથી આમ આદમી પાર્ટીના વિધાયક મોહિન્દર ગોયલ પર એક મહિલાએ ખુબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. આ મહિલાએ વિધાયક મોહિન્દર ગોયલ પર રેપનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે મોહિન્દર ગોયલે બે વર્ષ પહેલા તેનો બળાત્કાર કર્યો હતો. મહિલાએ આ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે ગોયલ તેને ઓળખે છે અને આ ઘટના બે વર્ષ જૂની છે.
પોલીસે જણાવ્યું કે રાજધાની દિલ્હીની રીઠાલા વિધાનસભા ક્ષેત્રથી આમ આદમી પાર્ટીના વિધાયક મોહિન્દર ગોયલ પર પ્રશાંત વિહાર ચોકીમાં કેસ નોંધવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ મહિલા વિરુદ્ધ અપરાધના એક અધિકારી આ મામલે જાંચ કરી રહ્યા છે. જયારે દિલ્હી ભાજપના મહાસચિવ કુલજીત ચહલ ઘ્વારા એક ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે ગોયલ વિરુદ્ધ એક મહિલાની ફરિયાદ પર બળાત્કારની પ્રાથમિકતા પર કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દિલ્લીની રાજકીય તસવીરઃ અત્યારે ચૂંટણી થઈ તો કોણ મારશે બાજી? સર્વેમાં ખુલાસો