તસવીરો: ભારતમાં એફિલ ટાવર કરતાં પણ ઉંચો બનશે બનશે રેલવે બ્રિજ
નવી દિલ્હી, 20 જુલાઇ: જી હાં. ભારતમાં વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ ભારતીય એંજીનિયર્સસે હિમાલયની પહાડીઓ પર આ બ્રિજને બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દિધી છે. આ જમ્મૂ-કાશ્મીરમાં ફેલાયેલા પહાડી વિસ્તારોના વર્ગોને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે.
ચેનાબ નદી પર બની રહેલા આ પુલની ઉંચાઇ 1,177 ફૂટ હશે. જો કે 2016 સુધી તૈયાર થનાર બ્રિજની ઉંચાઇ એફિલ ટાવર કરતાં પણ 35 મીટર ઉંચી હશે. અત્યાર સુધીના દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ ચીનના ગુઇઝોઉ પ્રાંતમાં બિપાનજિઆંગ નદે પર બનાવવામાં આવ્યો છે, જેની ઉંચાઇ 275 મીટર છે.
એક ભારતીય રેલવે અધિકારીના અનુસાર આ એંજીનિયરિંગનો બેજોડ નમૂનો સાબિત થશે અને આશા છે કે આ 2016 ડિસેમ્બર સુધી તૈયાર થઇ જશે. સાથે જ તેમણે કહ્યું કે તેની ડિઝાઇન પણ ભૂકંપ અને ફૂંકાતા પવનોને ધ્યાનમાં રાખતાં બનાવવામાં આવી છે.
આ રેલવે બ્રિજ પર વર્ષ 2002માં જ કામ શરૂ કરવામાં આવી ચૂક્યું છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં 2008માં તેને અટકાવી દેવામાં આવ્યો હતો. પરંતુ બે વર્ષ બાદ પછી ફરીથી આ પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવી દિધી છે. કોંકણ રેલવે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 92 મિલિયન ડોલર છે. આ રેલવે પુલ જમ્મૂથી બારામુલાને જોડશે. અત્યારે જ્યાં અંતર કાપવામાં 10 થી 12 કલાક લાગે છે, પુલ તૈયાર થઇ ગયા પછી આ યાત્રા ફક્ત સાડા છ કલાકની હશે.
આ પુલ 1,315 મીટર લાંબો હશે અને તેને બનાવવામાં 25,000 ટન સ્ટીલની જરૂરિયાત પડશે. જો કે હેલિકોપ્ટરની મદદથી ઉંચાઇ પર પહોંચાડવામાં આવશે. એક રેલવે અધિકારીના અનુસાર આ યોજના હેઠળ એક મહત્વપૂર્ણ પડકાર પણ હશે કે આ પુલને નદીના વહેણમાં કોઇ વિધ્ન ન નડે.

પુલની ઉંચાઇ 1,177 ફૂટ
ચેનાબ નદી પર બની રહેલા આ પુલની ઉંચાઇ 1,177 ફૂટ હશે. જો કે 2016 સુધી તૈયાર થનાર બ્રિજની ઉંચાઇ એફિલ ટાવર કરતાં પણ 35 મીટર ઉંચી હશે.

2016 ડિસેમ્બર સુધી તૈયાર થઇ જશે
આ એંજીનિયરિંગનો બેજોડ નમૂનો સાબિત થશે અને આશા છે કે આ 2016 ડિસેમ્બર સુધી તૈયાર થઇ જશે. સાથે જ તેમણે કહ્યું કે તેની ડિઝાઇન પણ ભૂકંપ અને ફૂંકાતા પવનોને ધ્યાનમાં રાખતાં બનાવવામાં આવી છે.

9 કરોડ 20 લાખ ડોલરના ખર્ચે થશે તૈયાર
આ પ્રોજેક્ટને પુરો કરવા માટે કુલ 9 કરોડ 20 લાખ ડોલરના ખર્ચનું અનુમાન છે. આ પ્રોજેક્ટની જવાબદારી કોંકણ રેલવે કોર્પોરેશનને આપવામાં આવી છે.

સમયનો થશે બચાવ
આ પુલ બારામુલાથી જમ્મૂને જોડશે. આથી બારામુલા થી જમ્મૂ આવવામાં હવે 6.30 કલાક લાગશે. અત્યારે લગભગ 13 કલાક લાગે છે.

1,315 મીટર લાંબો પુલ
1,315 મીટર લાંબો આ પુલ બનાવવા માટે 25 હજાર ટન સ્ટીલની જરૂરિયાત પડશે. ખરાબ રસ્તાના લીધે તેના નિર્માણ જરૂર પડનારી બધી સામગ્રી હેલિકોપ્ટર દ્વારા લાવવામાં આવે છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
