'આપ'ની પોલિટિકલ અફેર્સ કમિટિથી યોગેન્દ્ર યાદવની હકાલપટ્ટી
નવી દિલ્હી, 4 માર્ચ: આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીએ પાર્ટીના પોલિટિકલ અફેર્સ કમિટિમાંથી યોગેન્દ્ર યાદવની હકાલપટ્ટી કરી દીધી છે. આપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર આની ઔપચારિક જાહેરાત થઇ શકે છે. સૂત્રો અનુસાર યોગેન્દ્રને ખેડૂત મોર્ચા પ્રમુખ બનાવી શકાય છે
આપને જણાવી દઇએ કે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં અરવિંદ કેજરીવાલ હાજર ન્હોતા. કેજરીવાલ બેંગલોરમાં છે જ્યાં તેઓ 10 દિવસ સુધી પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા સારવાર લેવાના છે. બેઠક શરૂ થતા પહેલા જ આપમાં વધી રહેલી આંતરિક કલેહથી નાખુશ અરવિંદ કેજરીવાલે આજે પાર્ટીના સંયોજક પદથી રાજીનામુ આપી દીધું હતું. બેઠકમાં આની પર પણ ચર્ચા થશે, બેઠક હજી ચાલું છે.

આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક કલેહના સમાચારોની વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા યોગેન્દ્ર યાદવે બુધવારે જણાવ્યું કે તેઓ પાર્ટી છોડશે નહીં અને તોડશે પણ નહીં. તેમણે આપ સંયોજક પદથી અરવિંદ કેજરીવાલના રાજીનામાં અંગે કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો.
યોગેન્દ્ર યાદવે આપના વરિષ્ઠ નેતાઓમાં વધેલી તકરારને લઇને આવી રહેલી ખબરોની વચ્ચે બુધવારે થનારી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા જણાવ્યું કે પાછલા ત્રણ દિવસોથી સોશિયલ મીડિયા પર પાર્ટીના કાર્યકર્તાઓના ઘણા સંદેશાઓ આવી રહ્યા છે. જેમાં નેતાઓને એકજૂથ રહેવાની અપિલ કરવામાં આવી છે. 21 સભ્યોવાળી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા યોગેન્દ્રએ પત્રકારોને જણાવ્યું, 'મને વિશ્વાસ છે કે અમે સાંજ સુધીમાં આપને જણાવવામાં સફળ રહીશું કે અમે એક ડગલું આગળ વધ્યા છીએ નહીં કે પાછળ.'
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
