યોગી આદિત્યનાથ બન્યા યુપીના નવા મુખ્યમંત્રી
ઉત્તર પ્રદેશમાં ભાજપને ભારે બહુમત મળ્યા બાદ તે વાતની લાંબા સમયથી ચર્ચા થઇ રહી હતી કે યુપીના નવા મુખ્યમંત્રી કોણ બનશે. આખરે આ સવાલ પર પૂર્ણવિરામ લાગ્યુ છે.
ઉત્તર પ્રદેશમા ભાજપએ જ્યારથી ભારે બહુમત મેળવ્યો છે ત્યારથી તે અટકળો ચાલી રહી હતી કે યુપીના નવા મુખ્યમંત્રી કોણ બનશે? આખરે આજે ભાજપ દ્વારા આ અંગે અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બન્યા છે. નોંધનીય છે કે લખનઉમાં ભાજપના વિધાયક દળની બેઠકમાં યુપીની સત્તા કોના હાથમાં સોંપવામાં આવશે તે પર ચર્ચા કરવામાં આવી હતી. જે પછી આ અંગે યોગી આદિત્યનાથનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
એટલું જ નહીં વિધાયક દળના બેઠકમાં પણ યોગી આદિત્યનાથ જ્યારે પહોંચ્યા હતા ત્યારે પણ તેમનું જોર શોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને બેઠકની બહાર પણ મોટી સંખ્યામાં યોગી આદિત્યનાથના સમર્થકો પહોંચી ચૂક્યા છે. અને તેમના નામની સીએમ તરીકે જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે આખરે યુપીના સીએમ પદ માટે યોગી આદિત્યનાથના નામને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.