આ જિલ્લામાં નિયમ લાગૂ, હેલ્મેટ નહિ પહેર્યો હોય તો પેટ્રોલ પણ નહિ મળે
આ જિલ્લામાં નિયમ લાગૂ, હેલ્મેટ નહિ પહેર્યો હોય તો પેટ્રોલ પણ નહિ મળે
નવી દિલ્હીઃ ટ્રાફિકના નિયમોનો કોઈકાળે પાલન ન કરતા લોકોને ખાસ ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશમાં એક નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. ઉત્તમ પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં એક જૂનથી હેલમેટ નહિ પહેર્યા હોય તેવા 2 વ્હિલર્સ ચાલકોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ નહિ મળે. જિલ્લાધિકારી બ્રિજેશ નારાયણ સિંહે આ સંબંધમાં જિલ્લાના તમામ પેટ્રોલ પંપ ડીલર્સને આદેશ આપી દીધા છે. મંગળવારે જિલ્લાધિકારીએ એક બેઠકમાં પેટ્રોલ પંપ ડીલરને કહ્યું કે તેઓ એક જૂનથી આ નિર્ણયનું સખ્તીથી પાલન કરે. પ્રશાસને રોડ સુરક્ષા પ્રત્યે જાગરુકતા લાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે.

જિલ્લાધિકારી બ્રિજેશ નારાયણ સિંહે જણાવ્યું કે 31 મે બાદ જનપદના કોઈપણ પેટ્રોલ પંપ પર હેલમેટ પહેર્યા વિના આવેલ ટૂ-વ્હિલર્સ વાહન ચાલકોને પેટ્રોલ નહિ આપવામાં આવે. તેમણે જણાવ્યું કે રોડ અકસ્માતોમાં અવારનવાર થઈ રહેલી હત્યાઓને પગલે જિલ્લા પ્રશાસને લોકોના જાન-માલની રક્ષા કરવા માટે આ પગલું ઉઠાવ્યું છે.
જિલ્લાધિકારીએ જણાવ્યું કે મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 અંતર્ગત વાહન ચાલક તથા સવારી દ્વારા કોઈપણ ટૂ-વ્હિલર વાન પર યાત્રા કરતી વખતે હેલમેટ પહેરવો જરૂરી છે. આ અંતર્ગત હેલમેટ ન પહેરવો આઈપીસીની કલમ 188 અંતર્ગત એક ગુનો છે, જેમાં 6 માસ સુધીની જેલ થઈ શકે છે. તેમણે પેટ્રોલ પંપ ડીલર્સને આદેશ આપ્યો છે કે તેઓ પોતાના પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરા લગાવે જેથી હેલમેટ પહેર્યા વિના પેટ્રોલ નખાવવા આવતા લોકો કેમેરામાં કેદ થઈ શકે.
આ પણ વાંચો- દંતેવાડાઃ નક્સલવાદીઓએ કેટલીય ગાડીઓને બાળીને ખાખ કરી
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
