MRMનુ મોટુ નિવેદન, PFIના નિશાને પર સ્કુલો અને મદરેસાના યુવાનો, જગૃતતાની જરૂર
મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક મૌલાના સુહૈબ કાસમીએ કહ્યું કે, PFI શાળાઓ અને મદરેસાઓમાં યુવાનોને ગેરમાર્ગે દોરવા માંગે છે. PFI હવે તેનું કામ કરવા માટે આધુનિક અને જુદા જુદા નામોનો ઉપયોગ કરી રહ્યું છે
મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક મૌલાના સુહૈબ કાસમીએ કહ્યું કે, PFI શાળાઓ અને મદરેસાઓમાં યુવાનોને ગેરમાર્ગે દોરવા માંગે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં PFI હવે તેનું કામ કરવા માટે આધુનિક અને જુદા જુદા નામોનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યું, "ભારત એક શાંતિપ્રિય દેશ છે અને મુસ્લિમો વર્ષોથી અહીં રહે છે. વિદ્યાર્થીઓએ PFI જેવી સંસ્થાઓ વિશે જાગૃત રહેવાની જરૂર છે.
આધુનિક નામોનો ઉપયોગ કરી રહ્યું છે PFI
કાસમીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, PFI સ્કૂલ અને મદરેસામાં યુવાનોને ગેરમાર્ગે દોરવા માંગે છે. સરકારે પીએફઆઈના ઈરાદાઓને નષ્ટ કરી દીધા છે. PFI હવે તેનું કામ કરવા માટે આધુનિક નામોનો ઉપયોગ કરી રહ્યું છે.
MRM હિન્દુ-મુસ્લિમ એકતા ઇચ્છે છે
ઉલ્લેખનિય છેકે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની એક શાખા છે. તેની સ્થાપના 2002 માં મુસ્લિમ સમુદાય સાથે સંચારને પ્રોત્સાહન આપવા અને મુસ્લિમ સમુદાયોને ભારતમાં હિન્દુઓની નજીક લાવવાના હેતુથી કરવામાં આવી હતી.
ગિરફ્તાર વકીલ PFIનો સભ્ય
ઉલ્લેખનીય છે કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ PFI વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIAની ટીમે 29 ડિસેમ્બરના રોજ ગેરકાયદે અને હિંસક ગતિવિધિઓ સંબંધિત કેસમાં વકીલની ધરપકડ કરી હતી. NIAનો દાવો છે કે વકીલ PFIના સભ્ય છે.
14 લોકોને કરાયા ગિરફ્તાર
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું કે રાજ્યના 12 જિલ્લાઓમાં 56 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં એર્નાકુલમ જિલ્લાના એડવાનક્કડના રહેવાસી મોહમ્મદ મુબારકની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચાર્જશીટ અનુસાર, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)એ આતંકવાદી પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કર્યું હતું અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વ્યક્તિઓની ભરતી કરી હતી.
કટ્ટરપંથી બનાવવા માટે બ્રેઇનવોશ
NIAની ચાર્જશીટ સોમવારે હૈદરાબાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી, ANI અહેવાલ છે. NIA અનુસાર, તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ ભારત સરકાર તેમજ અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ પ્રત્યે ગુસ્સો અને દુશ્મનાવટથી ભરેલા ભાષણોનો ઉપયોગ કટ્ટરપંથી કરવા, બ્રેઈનવોશ કરવા અને પ્રભાવશાળી મુસ્લિમ યુવાનોને PFI તરફ આકર્ષિત કરવા માટે કર્યો હતો.