ભાભી સાથે આડા સંબંધ થી ગુસ્સે થયેલા મોટા ભાઈએ કરી હત્યા
ઉત્તરપ્રદેશ ના ભદ્રોહી માં રસ્તા કિનારે એક લાશ પડેલી જોવા મળી. પોલીસે ઘટના તપાસ કરતા મૃતકના મોટા ભાઈ સહીત પાંચ લોકોની ધરપકડ કરી છે.
ઉત્તરપ્રદેશ ના ભદ્રોહી માં રસ્તા કિનારે એક લાશ પડેલી જોવા મળી. પોલીસે ઘટના તપાસ કરતા મૃતકના મોટા ભાઈ સહીત પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે મૃતકના તેની ભાભી સાથે અવેધ સંબંધ હતા. જેની જાણકારી તેના મોટા ભાઈને થતા જ તેને પોતાના નાના ભાઈની ગોળી મારીને હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી પોતાના નાના ભાઈની લાશ તેને રસ્તા કિનારે ફેંકી દીધી.
ભદ્રોહી ના રામરાયપુર માં રહેનાર બેલાલ મન્સૂરી નું શવ 5 માર્ચે જોનપુર બાયપાસ માર્ગ સ્થિત મથુરાપુર ગામ પાસે રસ્તા કિનારે મળી આવ્યું. આપને જણાવી દઈએ કે બેલાલ મન્સૂરી ના પેટમાં ગોળી મારવામાં આવી હતી. એસપી સચેન્દ્ર સિંહ ઘ્વારા જલ્દી ઘટનાનો ખુલાસો કરવા માટે ક્રાઇમ બ્રાન્ચને કામ પર લગાવવામાં આવી. ઘટનાનો ખુલાસો કરતા એસએસપી સંજય કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે બેલાલ ની હત્યા તેના જ ભાઈ ઘ્વારા કરવામાં આવી છે. હત્યા કર્યા પછી પિતા હબીબુલ્લાહ અને પરિવારના લોકો લાશ ગાડીમાં મૂકીને લઈને ગયા ત્યારપછી તેને રસ્તા કિનારે ફેંકી દીધી. ઘટના પછી પરિવાર ઘ્વારા પુરાવા ગાયબ કરવાની પણ કોશિશ કરી. પોલીસ ઘ્વારા હત્યામાં ઉપયોગ કરાયેલી કાર, પિસ્ટલ, તમંચા, ત્રણ કારતુસ સહીત બીજા સમાન પણ કબ્જે કરવામાં આવ્યા છે. એસએસપી એ મૃતકના મોટા ભાઈ સહીત પાંચ અન્ય લોકોને પુરાવા નષ્ટ કરવા બદલ જેલમાં મોકલવામાં આવ્યા છે.
એસએસપી સંજય કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે મૃતક બેલાલ મન્સૂરી અને તેના મોટા ભાઈ સુલતાન મસૂરી વચ્ચે અવેધ સંબંધ હતા. જેની જાણકારી સુલતાન મન્સૂરી ને થઇ ગયી તેને ઘણી વાર પોતાના ભાઈને સમજાવવાની કોશિશ કરી. પરંતુ નાના ભાઈએ તેની વાત માની નહીં. એસએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સુલતાન મન્સૂરી એ તેના નાના ભાઈને ધાબા પર બોલાવ્યો અને તેને ગોળી મારી દીધી.