જામનગરની સાધના કોલોનીમાં ઈમારત ધરાસાયી, ત્રણ લોકોના મોત
જામનગરથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઈમારત ધરાસાયી થતા 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, જામનગર શહેરની સાધના કોલોનીમાં આ દુર્ઘટના સર્જાઈ છે. અહીં ત્રણ માળની એક ઈમારત અચાનક ધરાસાઈ થઈ જતા 3 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં અન્ય 5 લોકોને ઈજા થઈ છે.

અહેવાલો અનુસાર, હાલ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. હજુ પણ ઈમારતના કાટમાળમાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે.
ઘટનાને લઈને ફાયર બ્રિગેડ સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
સાધના કોલોની વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના મકાનોની એક ઈમારત ધડાકા સાથે તુટી પડી હતી. સ્થાનિકો અનુસાર, આ ઈમારત 30 વર્ષ જુની હતી. આ ઈમારતમાં ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયાં છે. લોકો રહેતા હોવાથી મોટી જાનહાનિ સર્જાઈ છે.












Click it and Unblock the Notifications
