ચિત્તાએ 2 વર્ષના બાળક પર હુમલો કર્યો, બાળકનું મોત
ચિત્તાએ 2 વર્ષના બાળક પર હુમલો કર્યો, બાળકનું મોત
જૂનાગઢઃ જૂનાગઢ અને ગીર સાસણના આસપાસના વિસ્તારોમાં સિંહ અને ચિત્તાના હુમલાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. હાલમાં જ એક ચિત્તાએ મજૂરના બાળક પર હુમલો કર્યો હતો. આ ઘટના લુવારી મોલી ગામની છે, જ્યાં ભીખુભાઈ જોરિયાનો 2 વર્ષનો દીકરો ધવન ગુરુવારે સવારે રમી રહ્યો હતો. ત્યારે જ ચિત્તો ત્યાં આવી પહોંચ્યો. ચિત્તાએ ધવલ પર હુમલો બોલી દીધો. ચિત્તાએ હુમલો કરતાં જ બાળકે બુમાબુમ કરી, અવાજ સાંભળી ભીખાભાઈ ચિત્તાની સામે થઈ ગયા, ચિતાએ તેમના પર હુમલો કર્યો, અને થોડીવાર બાદ ચિત્તો ત્યાંથી ભાગી ગયો.
આ ઘટનામાં 2 વર્ષીય ધવલ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયો હતો. ચિત્તાના પંજાના નખ તેની પીઠમાં આરપાર થઈ ગયા હતા. ગામના લોકો બંને બાપ દીકરાને હોસ્પિટલે લઈ ગયા. ઈલાજ દરમ્યાન જ માસૂમ બાળક મૃત્યુ પામ્યો. ડૉક્ટરે જણાવ્યા મુજબ ચિત્તો માનવ ભક્ષી હતો અને તેણે બાળકની પીઠ પર પંજાના નખ ઘુસાડી દીધા હોવાથી બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. ઘણું લોહી વહી જવાના કારણે બાળકનો જીવ ના બચાવી શકાયો.
બાળકના પિતા ભીખુભાઈ જોરિયાને ઈલાજ માટે ઉના જિલ્લાના સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યાં. જ્યાં તેમને દાખલ કરાવવામાં આવ્યા છે. ભીખુભાઈ જોરિયાની પત્ની મુજબ, તેઓ તેમના પતિ ભીખુભાઈ જોરિયા ખેતરે કામ કરી રહ્યા હતા. બાળક બાજુમાં જ રમી રહ્યો હતો, અને ત્યાં જ ચિત્તાએ હુમલો કર્યો. ઘટનાની જાણકારી મળતાં જ વનવિભાગની ટીમ ત્યાં દોડી આવી. ટીમે ચિત્તાની શોધખોળ હાથ ધરી છે.
અહેમદ પટેલની વતન પિરામણમાં કરાઈ દફન વિધિ, હજારોની સંખ્યામાં લોકો હાજર
વનવિભાગના કર્મચારીએ જણાવ્યું, 'ચિત્તાને પકડવા માટે પિંજરું લગાવવામાં આવ્યું છે. ચિત્તો માણસો પર હુમલો કરી રહ્યો હોવાની લોકોની ફરિયાદ મળી રહી છે, અત્યાર સુધીમાં આ ચિત્તો 15 લોકો અને અન્ય એક બાળક પર હુમલો કરી ચૂક્યો છે.'