પાર્ટીના નિર્માણ બાદ IACના નામનો ઉપયોગ નહી: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો અણ્ણા હઝારે તેમને આઇએસીના નામનો ઉપયોગ બંધ કરવાનું કહે છે તો તે તેનો ઉપયોગ નહી કરે. તેમને અણ્ણા હઝારે અને તેમના સહયોગીઓના દાવા અંગે પ્રશ્ન કર્યો છે કે તે આઇએસીનું નામ તેમની પાસે જ રહેશે. સામાજિક કાર્યકર્તા કિરણ બેદીએ પત્રકારોને જણાવ્યું હતું કે આઇએસીનું નામ અણ્ણા હઝારેના સાથે જ રહેશે. અમે આઇએસીના નામથી દાન ઉધરાવીશું. પ્રજા આઇએસીના નામે દાન આપી શકે છે. અરવિંદ કેજરીવાલના સંગઠનનું નામ 'પબ્લિક કાઝ રિર્ચર્સ ફાઉન્ડેશન (પીસીઆરએફ) છે.
અણ્ણા હઝારેએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઇએસીનું બેંક એકાઉન્ટ કિરણ બેદી, સુનીતા ગોદર અને લેફ્ટિનેંટ કર્નલ બિજેન્દર કોખરના નામે રહેશે. આ બધા નવી સમન્વય સમિતિના સભ્ય છે. શનિવારે અણ્ણા હઝારેની નવી ટીમની બેઠક બાદ સંગઠનના લોકોને ભારપૂર્વક કહ્યું હતું કે આઇએસી નામનું તેમની સાથે રહેશે. કિરણ બેદીએ કહ્યું હતું કે અણ્ણા હઝારેએ સંગઠન છોડ્યું નથી પરંતુ કેજરીવાલના નેતૃત્વવાળી ટીમ રાજકારણમાં પ્રવેશ કરવા માંગતી હતી. તે પાર્ટીના નવા નામની જાહેરાત કરશે, માટે નામને લઇને કોઇ સમસ્યા ઉભી થશે નહી.
સંગઠન તરફથી ગઇકાલે રજૂ કરવામાં આવેલા નિવેદનમાં અણ્ણા હઝારેએ સમન્વય સમિતિની રચના કરી છે જેથી ઇન્ડિયા અગેન્ટ કરપ્શન આંદોલનમાં નવી ઉર્જા ફૂંકી શકાય. તે સમયે સંકેત મળી ગયા હતા કે ઇન્ડિયા તે અગેન્ટ કરપ્શન નામને છોડવા માંગતા નથી. અણ્ણા હઝારેએ ભારતના ભષ્ટ્રાચાર મુક્ત કરવાના સંકલ્પ સાથે દક્ષિણ દિલ્હીના સર્વોદય એન્કવેલમાં પોતાના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યુ છે.
કાર્યાલયના ઉદધાટન બાદ અણ્ણા હઝારેએ કહ્યું હતું કે 'હવે સમય આવી ગયો છે કે ઘરે ઘરે જઇને ભષ્ટ્રાચાર વિરૂદ્ધના સંદેશનો પ્રસાર કરવો જોઇએ. અણ્ણા હઝારે શનિવારે 15 સભ્યોની નવી ટીમની જાહેરાત કરી છે. તેમને મહાત્મા ગાંધીની પુણ્યતિથી 30 જાન્યુઆરીથી દેશભરમાં ભષ્ટ્રાચાર વિરૂદ્ધ અભિયાન શરૂ કરવાની વાત કરી હતી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
